નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે શપથ લીધા એ પછી શુક્રવારે ખાતાંની ફાળવણી કરાઈ હતી. ખાતાંની ફાળવણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ગૃહમંત્રાલય આપવામાં આવ્યું છે. જ્યારે સૌથી મહત્વનું મનાતું નાણા મંત્રાલય નિર્મલા સિતારમણને અપાયું છે. સિતારમણ ગત સરકારમાં સરંક્ષણ મંત્રી હતા. આ વખતે તેમનું ખાતું બદલાયું છે.




આ ઉપરાંત રાજનાથસિંહને અન્ય મહત્વનું સરંક્ષણ મંત્રાલય અપાયું છે. ગત સરકારમાં રાજનાથસિંહ ગૃહમંત્રી હતા. જોકે, હવે આ વખતે અમિત શાહને ગૃહમંત્રી બનાવાયા છે. જ્યારે એસ.જયશંકરને વિદેશ મંત્રાલય અપાયું છે. આ ખાતું ગત સરકારમાં સુષ્મા સ્વરાજ પાસે હતું.



આ પણ વાંચોઃ

મોદીએ કરી ખાતાની ફાળવણીઃ જાણો, અમિત શાહને મળ્યું કયું મોટું ખાતું?
મોદી કેબિનેટ 2: ખાતાઓની ફાળવણી થઈ, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય