સ્વતંત્રતા દિનના કાર્યક્રમ બાદ સાળંગપુર આવશે પીએમ મોદી, કરશે સ્વામી બાપાના અંતિમ દર્શન
abpasmita.in
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
NEXT
PREV
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોતમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આજે સાળંગપુર આવશે. એક રિપોર્ટ પ્રમાણે, મોદી આજે દિલ્લીથી સીધા ભાવનગર પ્લેન મારફતે આવશે ત્યારબાદ તેઓ સાળંગપુર દર્શને આવશે. જોકે, તેઓ ક્યા સમયે આવશે તેને લઇને કોઇ સતાવાર જાહેરાત કરાઇ નથી પણ તેઓ સ્વાતંત્ર દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બપોરે આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 16મીએ બાપાના દર્શને આવે તેવું કહેવામાં આવી રહ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -