રાહુલ ગાંધીએ સરકારના કોર્પોરેટ કંપની પરનો ટેક્સ ઘટાડવાના નિર્ણયનો વિરોધ કર્યો છે તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. વડાપ્રધાને ટ્વિટ કરી આ નિર્ણયો માટે નાણામંત્રીના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે જે જાહેરાત કરી હતી તેમાં કોર્પોરેટ ટેક્સમાં છૂટ, કેપિટલ ગેનના સરચાર્જમાં ઘટાડો જેવા નિર્ણયો સામેલ છે. જોકે, આ નિર્ણયો બાદ સરકાર પર 1.45 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે. જેના પર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધી અગાઉ સીપીઆઇ (એમ)નેતા સીતારામ યેચુરીએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયોને પૂરતા ગણાવ્યા નહોતા. જેને સૌથી મોટું કૌભાંડ ગણાવ્યુ હતું. યેચુરીએ સરકાર પર આરબીઆઇ પાસેથી 1.76 લાખ કરોડ રૂપિયા લઇને કોર્પોરેટને 1.46 લાખ કરોડ આપવાનો આરોપ લગાવ્યો છે.