બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસે મને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી નથી. આ વાત સાચી નથી.  તેમણે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષોને બદલે પોતાની ચિંતા કરવી જોઈએ. માયાવતીએ કહ્યું કે યુપી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બસપા વિશે બોલતા પહેલા રાહુલ ગાંધીએ 100 વાર વિચારવું જોઈએ. આ નિવેદન તેમની જાતિવાદી વિચારસરણીનું પ્રતિક છે.

Continues below advertisement

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમે એવી પાર્ટી નથી કે જેના નેતા સંસદમાં વડાપ્રધાનને બળજબરીથી ગળે લગાવે અને ન તો આખી દુનિયામાં અમારી મજાક ઉડાવવામાં આવે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ ભારતને માત્ર કોંગ્રેસ મુક્ત જ નહીં પરંતુ વિપક્ષ મુક્ત બનાવી રહી છે. ભાજપનો પ્રયાસ ચીનની જેમ ભારતમાં એક પક્ષનું શાસન સ્થાપિત કરવાનો છે.

રાહુલ ગાંધીએ શનિવારે નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટીએ BSP સુપ્રીમો માયાવતીને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવાનો અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેમણે અમારી સાથે વાત પણ કરી ન હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે માયાવતીએ સીબીઆઈ, ઈડી અને પેગાસસના કારણે ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને ખુલ્લો રસ્તો આપ્યો.

Continues below advertisement

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે બેઠકો અને 2.5 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસના 97 ટકા ઉમેદવારો તેમની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. જ્યારે બસપાને માત્ર એક સીટ અને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. બસપાના લગભગ 72 ટકા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે.