Tatkal Ticket New Rules 2026: જો તમે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. મુસાફરોને લાંબી લાઈનો અને ધક્કામુક્કીમાંથી રાહત આપવા માટે રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં એક મોટો ફેરફાર કર્યો છે. 1 ઓગસ્ટથી પશ્ચિમ મધ્ય રેલવે (WCR) ના તમામ રિઝર્વેશન કાઉન્ટર પર નવી 'ટોકન સિસ્ટમ' લાગુ થવા જઈ રહી છે. આ નવા નિયમ મુજબ હવે મુસાફરોએ ટિકિટ કાઉન્ટર પરથી અગાઉથી ટોકન લેવું પડશે અને ટોકન વિના કોઈને એન્ટ્રી કે ટિકિટ મળશે નહીં. આ નિર્ણયથી મુસાફરોને કાઉન્ટર પર વારંવાર ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને ટિકિટ બુકિંગની પ્રક્રિયા પહેલા કરતા ઘણી વધુ સરળ અને સુવ્યવસ્થિત બની જશે.

Continues below advertisement

શું છે આ નવી ટોકન સિસ્ટમ?

1 ઓગસ્ટથી રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ માટે અગાઉથી જ ટોકન આપી દેવામાં આવશે. આ માટે રેલવેએ સમયપત્રક પણ નક્કી કરી દીધું છે:

Continues below advertisement

AC તત્કાલ ટિકિટ માટે: સવારે 8:30 થી 9:00 વાગ્યા સુધી ટોકન આપવામાં આવશે.

નોન-AC (સ્લીપર) તત્કાલ ટિકિટ માટે: સવારે 9:00 થી 9:30 વાગ્યા સુધી ટોકન અપાશે.

એક કાઉન્ટર પર કેટલા ટોકન મળશે?

વધુ પડતી ભીડ ન થાય તે માટે રેલવેએ દરેક રિઝર્વેશન કાઉન્ટર દીઠ ટોકનની સંખ્યા પણ મર્યાદિત કરી દીધી છે:

AC તત્કાલ ટિકિટ માટે એક કાઉન્ટર પર માત્ર 10 ટોકન અપાશે.

નોન-AC (સ્લીપર) તત્કાલ ટિકિટ માટે 15 ટોકન ફાળવવામાં આવશે.

કોને મળશે પ્રાથમિકતા?

આ નવા નિયમની સૌથી સારી વાત એ છે કે, જે મુસાફરો પોતાના માટે અથવા પોતાના પરિવારના સભ્યો માટે તત્કાલ ટિકિટ લેવા આવ્યા હશે, તેમને ટિકિટ બુકિંગમાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, આ માટે તમારે તમારો કૌટુંબિક સંબંધ સાબિત કરતો કોઈ માન્ય દસ્તાવેજ (ID પ્રૂફ) બતાવવો પડી શકે છે. પરિવારના સભ્યોની ટિકિટ બુક થઈ ગયા પછી જ અન્ય કોઈ વ્યક્તિની ટિકિટ બુક કરવામાં આવશે. એજન્ટોની દખલગીરી રોકવા માટે આ એક મોટું પગલું છે.

આ પણ વાંચોઃ Tatkal Booking Rules: હવે OTP વગર નહીં મળે ટિકિટ! અમદાવાદની વધુ 3 ટ્રેનોમાં 18 ડિસેમ્બરથી નિયમ લાગુ

નવા નિયમથી મુસાફરોને શું ફાયદો થશે?

રિઝર્વેશન કાઉન્ટર પર થતી બિનજરૂરી ભીડ ઓછી થશે.

મુસાફરોને કલાકો સુધી કાઉન્ટર પર ઊભા રહેવાની કે વારંવાર આવવાની જરૂર નહીં રહે.

વહેલા ટોકન મેળવી લેવાથી તમારા વારાની રાહ જોવી એકદમ સરળ બની જશે.

ટિકિટ બુકિંગની આખી પ્રક્રિયા પહેલા કરતા ઘણી વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનશે.

ટિકિટ બુક કરાવવા જતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો:

જ્યારે પણ તમે તત્કાલ ટિકિટ બુક કરાવવા જાવ, ત્યારે તમારી સાથે આધાર કાર્ડ અથવા સરકાર દ્વારા માન્ય કોઈ પણ ફોટો ID અચૂક સાથે રાખો. આ ઉપરાંત, ફોર્મ ભરવામાં અને ટિકિટ બુકિંગમાં લાગતો સમય બચાવવા માટે મુસાફરોના નામ, ઉંમર અને મુસાફરીની તમામ વિગતો અગાઉથી જ કાગળ પર લખીને તૈયાર રાખો.

આ પણ વાંચોઃ સ્ટેશન જતા પહેલા સાવધાન! તત્કાલ ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, હવે આ કામ કર્યા વગર ટિકિટ નહીં મળે