Ram Nath Kovind Health: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે સવાર અચાનક તબિયત બગડી હતી. છાદીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીમાં આવેલ સેનાની આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. અહીં ડોક્ટરો તેમનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે. હોસ્પિટલનું કહેવું છે કે હાલમાં કોઈ ચિંતાની વાત નથી. રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે.


હોસ્પિટલે એક મેડિકલ બુલેટિનમાં કહ્યું કે, “ભારતના રાષ્ટ્રપતિ આજે સવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ આર્મી હોસ્પિટલ આવ્યા હતા. તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેમની હાલત સ્થિર છે.”