નવી દિલ્લી: આજે સુપ્રીમ કોર્ટ ઈંસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપને બૅન કરવાની અરજી પર સુનાવણી કરશે. વોટ્સએપના એંડ-ટુ-એંડ ઈંક્રિપ્શન પોલીસીને આધાર બનાવીને હરિયાણાના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુધીર યાદવે આ અરજી આપી છે.


આ અરજીમાં કહેવાયુ છે કે એપ્રિલ મહિનાથી વોટ્સએપે 256-bit એંડ-ટુ-એંડ ઈંક્રિપ્શનની સુવિધા આપવાની શરૂ કરી છે. જેની સિક્યુરિટી તોડવી અશક્ય છે. જો વોટ્સએપતી કોઈ પણ વ્યક્તિનો ડેટા સરકાર માગે તો વોટ્સએપ પોતે પણ તેને ડિકોડ નહિ કરી શકે.

ભારતમાં વોટ્સએપ બેન કરવાની અરજીમાં કહેવાયુ છે કે આ ફિચરની મદદથી કોઈ પણ આતંકી કે અપરાધી પોતાની યોજના અંગે વોટ્સએપ પર ચેટ કરી શકે છે. સાથે જ દેશ વિરોધી ગતિવિધિઓને અંજામ આપી શકે છે. આપણા દેશની સુરક્ષા એજંસીઓ પણ આ મેસેજ અંગે જાણકારી નહિ મેળવી શકે.

યાદવે વધુમાં જણાવ્યું કે 256-બિટ મેસેજને ડિકોડ કરતા 100થી વધારે વર્ષો લાગી જશે.