નવી દિલ્લી: એક પુત્રનો લગ્ન પહેલા અને લગ્ન બાદ પણ માતા-પિતાના ઘર પર કોઈ કાનૂની અધિકાર નથી. તે માત્ર પોતાના માતા-પિતાની દયાથી તેમની સાથે ઘરમાં રહી શકે છે. દિલ્લી હાઈકોર્ટ આ આદેશ એક અરજી પર સુનવાઈ કરતા આપ્યો હતો.


કોર્ટે કહ્યું માતા-પિતા પોતાના પુત્રને સોહાર્દભર્યા સંબંધોને કારણે લાંબા સમય સુધી પોતાની સાથે રહેવાની પરવાનગી આપી શકે છે, પરંતુ એનો મતલબ એમ નથી કે તેઓ આજીવન તેનો બોજ  સહન કરે.

જસ્ટિસપ પ્રતિભા રાનીએ પોતાના આદેશમાં કહ્યું કે જો કોઈ માતા-પિતા પોતાની મહેનતથી ઘર ખરીદે છે તો પુત્રએ લગ્ન કર્યા હોય કે અવિવાહીત તેનો ઘર પર કોઈ કાનૂની અધિકાર નથી. તે માત્ર તેમની દયા પર ઘર પર રહી શકે છે.