હાથરસ ઘટનાને લઈ રાહુલ ગાંધીએ ફરી એકવાર ટ્વીટ કર્યું છે. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું, સરકારનું વલણ અમાનવીય-અનૈતિક છે. સરકાર દ્વારા પીડિતના બદલે આરોપીઓની રક્ષા કરવામાં આવી રહી છે. તેમજ રાહુલે દેશમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે એકજૂટ થવા અપીલ કરી છે.
રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યારે આવ્યું છે. જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં તેની સુનવણી શરુ કરવામાં આવી રહી છે. આ પરિવારને સુરક્ષાની સાથે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ એક આરોપીએ દાવો કર્યો છે કે પીડિતાને તેના પરિવારે જ મારી નાંખી છે. આ ઓનર કિલિંગનો કેસ છે. તેમજ દાવો કરનાર આરોપી અને પીડિતા વચ્ચે મિત્રતાના સંબંધ હતા. એટલું જ નહીં આરોપી સતત પીડિતાના ભાઈ સાથે સંપર્કમાં પણ હતો.