મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પોલીસ અને ગુપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં ભાજપની રથયાત્રાથી કાયદા-વ્યવસ્થા ખોરવાઇ શકે છે. પરંતુ નાની-મોટી સભાઓથી સરકારને કોઈ જ વાંધો નથી. ત્યારે બીજી તરફ ભાજપે કહ્યું કે રથયાત્રામાં 40 દિવસનો કાર્યક્રમ પ્રસ્તાવિત હતો. પરંતુ રાજ્ય સરકારના વલણને જોતા પાર્ટીએ તેમાં ઘટાડો કર્યો છે.
નોંધનીય છે કે ડિસેમ્બરમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવાની હતી અને આ યાત્રામાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થવાના હતા. પરંતુ મમતા સરકારે કાયદો વ્યવસ્થાનો હવાલો આપતા યાત્રા પર રોક લગાવી દીધી હતી. જેના બાદ ભાજપે રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હાઈકોર્ટે પણ રથયાત્રાને મંજૂરી આપી નહતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.