મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે. આ દરમિયાન શિવસેના નેતા વિનાયક રાઉતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી 400 ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.


શિવસેના નેતા એકનાથ શિંદેના જણાવ્ય્યા મુજબ શપથ વિધિ સમારંભમાં સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, DMKના પ્રમુખ સ્ટાલિનેને આમંત્રણ આપવામાં આવ્યું છે.


વિનાયક રાઉતે કહ્યું, કાલે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી આશરે 400 ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડૂતોને સન્માન આપવા, આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે.


મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો પહેલાથી પ્રભાવ રહ્યો છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. હાલ તેઓ ન તો ધારાસબ્ય છે કે ન તો વિધાન પરિષદના સભ્ય. તેમણે અત્યાર સુધીમાં ક્યારેય ચૂંટણી પણ નથી લડી. પરંતુ આગામી છ મહિનામાં તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. મંગળવારે ઠાકરેને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા. જે બાદ તેમણે કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મુખ્યમંત્રી બનીશ.


ગુજરાત સરકારે 2014થી કરેલી ભરતીના આંકડા કર્યા જાહેર, જાણો કયા વિભાગમાં કેટલા લોકોને મળી નોકરી

મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાં કેટલા હશે સભ્યો ? જાણો વિગત

અમિત શાહનો શરદ પવાર અને સોનિયા ગાંધીને પડકાર, કહ્યું- એક વખત બોલીને જુઓ કે CM…..

WIvAFG: વિશ્વના સૌથી વજનદાર ખેલાડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાડેજા-અશ્વિનને રાખ્યા પાછળ