નવી દિલ્હી: દેશને રોજ કોરોના વાયરસની સ્થિતિ અંગે અપડેટ આપનાર આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોના વાયરસની સંક્રમિત થયા છે. લવ અગ્રવાલે ખુદ તેના જાણકારી આપી છે.
તેમણે ટ્વિટ કરી હતી કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું દિશાનિર્દેશો અનુસાર હોમ આઈસોલેશનમાં છું, મારા તમામ મિત્રો, સહયોગીઓને અનુરોધ છે કે, તેઓ પોતાની દેખભાળ રાખે, સ્વાસ્થ્ય ટીમ તરફથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે



દેશમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ લવ અગ્રવાલ ઘણા ચર્ચામાં રહ્યાં છે, માર્ચ મહીનામાં કોરોના વાયરસ કેસમાં સતત વધારો થવા લાગ્યો ત્યારે કોરોના કેસ અંગેની જાણકારી સરકારની પત્રકાર પરિષદમાં તેમણે આપવાનું શરૂ કર્યું હતું. આ હેલ્થ બુલેટિન પર દેશની નજર રહે છે.