ભારતે તેના આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદા(UAPA)માં ફેરફાર કર્યો છે. આવા કાયદા રાજ્યને ચાર્જ વિના અને સામાન્ય રીતે કોઈપણ ગુના કર્યા પહેલા લોકોને જેલમાં રાખવાનો વ્યાપક અધિકાર આપે છે. લોકોને જામીન મેળવવામાં મુશ્કેલી પડે છે અને આવા કાયદા પોલીસને એક સફળ શક્તિ આપે છે જે ભ્રષ્ટાચાર અને જુલમને સરળ બનાવે છે.


શું આવા કાયદા કામ કરે છે ? ના નથી કરતાં. પંજાબમાં હિંસા બાદ કોંગ્રેસે ટાડા તરીકે ઓળખાતો કાયદો બનાવ્યો હતો. આ કાયદો લગભગ દાયકા સુધી અમલમાં રહ્યો હતો અને હજારો લોકોની ધરપકડ કરીને જેલભેગા કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના મુસ્લિમો અને શીખો હતો. આ કાયદામાં માત્ર  1%ને જ સજા મળી હતી, અર્થાત જેલમાં નાંખવામાં આવેલા 100માંથી 99 લોકો નિર્દોષ હતા. આ એક ખૂબ જ અઘરો અને અન્યાયી કાયદો હતો. જેથી તે લાંબો સમય ચાલુ રાખી શકાયો નહીં, તેથી જ તેને રદ કરવાની મંજૂરી આપવામાં આવી. તેના સ્થાને 2002માં પોટા તરીકે ઓળખવામાં કાયદાને લાગુ કરવામાં આવ્યો.  ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું કે પોટા હેઠળ 4349 કેસ નોંધાયા હતા અને કુલ 1031 વ્યક્તિઓ પર આતંકવાદનો આરોપ મૂકાયો હતો.

તેમાંથી સરકાર 13 લોકોને ગુનેગાર ઠેરવવામાં સક્ષમ હતી. અર્થાત પોટા ટાડા કરતા યોગ્ય લોકોને દોષિત ઠેરવવામાં સક્ષમ હોવા કરતાં પણ વધુ ખરાબ હતો. તત્કાલીન કેન્દ્રીય ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને લાગ્યું કે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, સારો કાયદો નથી અને તેથી જ તેને રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ.  યુએપીએમાં કરેલા સુધારામાં, રાજ્યને હવે વ્યક્તિઓને “આતંકવાદી” નામ આપવાની સત્તા આપવામાં આવી છે.

મારા સાથી મૃણાલ શર્માએ લખ્યું છે કે આ તે જ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે જેનો સરકાર કહે છે કે તે નીચે મુજબ છે. 2006માંસંયુક્ત રાષ્ટ્રના વિશેષ રાપ્પોર્ટે કહ્યું હતું કે ગુનાને 'આતંકવાદી કૃત્ય' કહેવા માટેત્રણ તત્વો સામૂહિક રીતે હાજર હોવા જોઈએ. તેનો અર્થ જીવલેણ હોવો જોઈએ. આ કાયદા પાછળનો ઉદ્દેશ વસ્તીમાં ભય પેદા કરવાનો અથવા સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંગઠનને કંઇક કરવાની ફરજ પાડવી જોઈએ અને ગળ એક વૈચારિક ધ્યેય હોવો જોઈએ.

બીજી તરફ UAPA, આતંકવાદી કાયદાની અતિશયોક્તિપૂર્ણઅને અસ્પષ્ટ પરિભાષા પ્રદાન કરે છે. જેમાં કોઈપણ વ્યક્તિના મૃત્યુ કે કોઇપણ સંપત્તિને નુકસાન, કોઇપણ સાર્વજનિક કાર્યવાહકને બળના માધ્યમથી ખતમ કરવાનો પ્રયાસ સામેલ છે. ઉપરાંત કોઈપણ કાર્યને કરવા માટે સરકાર કે કોઇપણ વ્યક્તિને મજબૂર કરવા કે કોઇપણ કાર્ય કરતા રોકવા વગેરે. તેમાં સરકારના બ્રાંડ માટે શક્તિ આપવા માટે ‘લોકોને ધમકી આપવાની સંભાવના’ કે ‘લોકોમા આતંકની સંભાવના’ પણ સામેલ છે. આ કૃત્યોને વાસ્તવિક બનાવ્યા વગર કોઇપણ સામાન્ય નાગરિક કે કાર્યકર્તા પણ આતંકવાદી છે.

નિયમમાં પોલીસ અધિકારીઓના વ્યક્તિગત જ્ઞાનના આધારે તપાસ અને ધરપકડની મંજૂરી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જણાવ્યા મુજબ  2014 અને 2016 વચ્ચે યુએપીએ અંતર્ગત 75%થી વધારે મામલામાં છોડી મુકવામાં આવ્યા છે અથવા તો સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. આ વર્ષોમાં યુએપીએ અત્યાચારનું એક સાધન બની ગયું હતું. જે લોકોને કાનૂની પદ્ધતિમાં ગુંચવાવી રાખવા અને રાજ્ય ઈચ્છે ત્યાં સુધી જેલમાં રાખી શકે તેમ છે. આ સંશોધન આગળને સરકારને સમાજમાં સક્રિય સભ્ય થવા માટે વ્યક્તિઓને ફસાવવા, મહત્વપૂર્ણ સોચ પર પ્રતિબંધ લગાવવા અને તેમને આતંકવાદી જાહેર કરી અંસતોષનો અપરાધિક બનાવવા માટે સરકારને અનેક શક્તિઓ આપે છે.

પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી, જે કદાચ અન્યથી વધારે આતંકવાદી વિરોધી કાનીન વિષે જાણે છે તેમણે યુએપીએ સંશોધનનો વિરોધ કર્યો છે. પી ચિદંબરમે કહ્યું કે, યુએપીએ કાનૂનમાં બદલવાથી રાજ્યને એક આતંકવાદીના રૂપમાં નામિત કરવામાં આવી શકે છે. લશ્કર એ તૈય્યબાના નેતા હાફિઝ સઇદ અને ગૌતમ નવલખા વચ્ચે એક પ્રકારનો મામલો હતો, જેને UAPA અંતર્ગત ચાર્જ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ કાનૂનમાં બદલાવ માટે મતદાન કર્યું હતું. ચિદંબરમે કહ્યું કે, પાર્ટી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. લોકતંત્રમાં સરકાર તેના નાગરિકોની સાથે છેડછાડ કરવાની મંજૂરી આપે તેવા કાનૂન ન હોવા જોઈએ.

સભ્ય દેશોમાં (જેમની પાસેથી ભારતે તેના બંધારણ અને તેના તમામ કાયદાઓની નકલ કરી છે) ફોજદારી ન્યાય પ્રણાલી આરોપીઓના હક વિશે છે. સામાન્ય લોકોને આ સમજવાનું મુશ્કેલ હશે પરંતુ વાસ્તવમાં તે આપણી ન્યાય પ્રણાલીનો પાયો છે. કાનૂન અને ન્યાયના સિદ્ધાંતો સામે જનારા લોકોને દોષી ઠેરવ્યા વગર આતંકવાદી કહેવા યોગ્ય નથી.

(નોંધઃ ઉપર વ્યક્ત કરવામાં આવેલા વિચારો તથા આંકડા લેખકના વ્યક્તિગત વિચાર છે. આ લેખ સાથે સંકળાયેલા તમામ દાવા માટે માત્ર લેખક જ જવાબદાર છે.)