દેહરાદૂનઃ કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉન બાદ ઉત્તરાખંડમાં આજથી કોલેજો ફરીથી શરૂ થઈ રહી છે. સરકારે યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા માટે ત્રણ દિવસ પહેલા એસઓપી જાહેર કરી હતી. જે મુજબ નિયમો અને શરતોને આધીન યૂનિવર્સિટી અને કોલેજ ઓફલાઇન ક્લાસ સંચાલિત કરી શકશે. વિવિધ શિફ્ટમાં વિદ્યાર્થીઓને અગ્રતાક્રમ મુજબ કોલેજ બોલાવી શકાશે.


સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે. આ ઉપરાંત બહારથી આવતાં વિદ્યાર્થીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. બધા સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સનો પરમિશન લેટર જરૂરી છે. જેમની પાસે આ લેટર હશે તેમને જ કોલેજમાં આવવા દેવામાં આવશે.

સમયાંતરે કોલેજમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત વર્ગ શરૂ થવા પહેલા અને પૂરા થયા પછી સેનિટાઇઝ કરવા પડશે. માસ્ક વગર કોઇને પણ કોલેજમાં પ્રવેશવા નહીં દેવામાં આવે. આ ઉપરાંત જો કોઇ ટીચર, વિદ્યારથી કે સ્ટાફને શરદી-ઉધરસની ફરિયાદ હશે તો પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ ઘરે મોકલી દેવાશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, ઉત્તરાખંડમાં કોરોનાના એક્ટિવ કેસ 6293 છે, જ્યારે 74,781 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં 1355 લોકોના કોરોનાથી મોત થયા છે.

આ રાજ્યમાં છોકરીઓને લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો વિગતે

Burger King માં કમાણીથી ચૂકી ગયા છો ? આજે ફરી છે તક, જાણો વિગત

મોદી આજે કચ્છમાં, જાણો બપોરના ભોજનમાં શું પીરસવામાં આવશે






Education Loan Information:

Calculate Education Loan EMI