નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની પણ હિંદુ માળખા પર બની હતી એવા ચુકાદા પછી સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ હતી તે વિશે કોઈ વિવાદ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મુદ્દો શ્રધ્ધા અને માન્યતાનો છે ને તેને નકારી ના શકાય. એ જ રીતે મસ્જિદમાં મુસ્લિમોને નમાઝનો અધિકાર છે તે બાબતનો પણ ઈન્કાર ના થઈ શકે.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે, જમીનની માલિકી કોની એ શ્રધ્ધા કે માન્યતાના આધારે ના નક્કી થઈ શકે પણ કાનૂની પુરાવાના આધારે જ નક્કી થઈ શકે.