પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યુવતી પર મકાન માલિકે બળાત્કાર ગુજાર્યો હોવાના ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સામે ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અરુણ જોષી નામના શખ્સે 21 વર્ષીય યુવતી અને તેના પરિવારને મકાન રહેવા માટે આપ્યું હતું. આ પછી અરુણે યુવતીને ફોસલાવી હતી અને એક જ મહિનામાં તેની સાથે ત્રણ-ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ અરુણ જોષી સામે ફરિયાદ નોંધાવતા પાલનપુર પૂર્વ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.