મહેસાણાઃ પ્રેમલગ્નના કિસ્સામાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાના મામલે 84 કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલન યોજાયું છે. ગુજરાતભરમાંથી વિવિધ સમાજના પ્રમુખ ઉપસ્થિત છે. સૌરાષ્ટ્ર રાજપુત સમાજ, ચરોતર બ્રહ્મ સમાજ, પ્રજાપતિ સમાજ અને નાયી સમાજ દ્વારા ટેકો જાહેર કરાયો છે. 84 કડવા પાટીદાર સમાજની માગણીને વિવિધ સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. 


નોંધનીય છે કે, ગત 22મી ઓગસ્ટે મહેસાણામાં ચોરાસી કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. મહેસાણામાં દિકરીના પ્રેમલગ્નમાં માતા પિતાની સહી ફરજીયાત બનાવવાની માગણી સાથે મહાસંમેલન યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. તમામ સમાજ પાસેથી આ બાબતે  ઠરાવ મંગાવવામાં આવ્યા હતા. પુખ્ય વયની 18 વર્ષની દિકરી પ્રેમ લગ્ન કરે તો તેમાં મા-બાપની સહી ફરજીયાત લેવી,  માતા પિતાની સંમતિ સિવાય લગ્ન કરવા માંગતી યુવતીની ઉંમર વર્ષે -25ની કરવી, 25 વર્ષની યુવતી મા બાપની સંમતી વગર લગ્ન કરે તો તેને મા- બાપની સ્થાવર તેમજ જંગમ મિલકત માંથી ફારેગ કરવી આ કમામ માગણીઓને લઈ સંમેલન યોજવામાં આવ્યું છે.




Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
બનાસકાંઠાઃ અમીરગઢ પાસે બનાસ નદીમાં વધુ  યુવક ડૂબ્યો હતો. મોડી સાંજે નદીમાં ન્હાવા પડેલ યુવકની લાશ બહાર કાઢવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં અમીરગઢ પંથકમાં નદીમાં ડૂબવાની ત્રીજી ઘટના સામે આવી છે. મામલતદાર નું જાહેરનામું હોવા છતાં પણ લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડી રહ્યા છે.


ગઈ કાલે કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબ્યા હાત. ભારે જયમત બાદ એક યુવાનની લાશ નીકાળી બહાર. સ્થાનિક તરવૈયા અને તંત્રએ મોડી સાંજ સુધી યુવકની લાશ બહાર નીકળી ખસેડાઇ પી.એમ અર્થે. 13 વર્ષીય ઘટાડ નરસિંહભાઈ જ્યોતિભાઈનો મૃતદેહ નદીના પ્રવાહમાંથી મળી આવ્યો. અન્ય એક યુવકની મૃતદેહ ની શોધખોળ કરી શરૂ. બે દિવસમાં 8 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. 


અગાઉ કાંકરેજના ઉંબરી ગામ પાસે નદીમાં ન્હાવા જતા બે યુવકો ડૂબ્યા હતા. ડીસાના છત્રાલા પાસે નદીમાં આધેડ ડૂબ્યો. આ પછી નદીના પ્રવાહમાં જતા વધુ ત્રણ યુવકો ડૂબ્યા હતા. બનાસનદીમાં બે દિવસ માં કુલ 8 લોકો ડૂબ્યા. તંત્રએ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે.


નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.