Ancient Mandir Development: કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને સાચવવાનું કામ કરી રહી છે, હવે આ કડીમાં પ્રસાદ યોજના અંતર્ગત મહેસાણાના એક મંદિરનો પણ જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઊંઝાના સૂણકમાં આવેલા નિલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર અને વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 




મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના કેટલાક ઐતિહાસિક મંદિરોની એક યાદી તૈયાર કરી છે, જેનો વિકાસ કરવામાં આવનારો છે. આ લિસ્ટમાં હવે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામમાં આવેલા નિલકંઠ મહાદેવનું પણ નામ સામેલ છે. આ ઐતિહાસિક નિલકંઠ મહાદેવ મંદિરનું હવે વિકાસ કાર્ય પ્રસાદ યોજના અંતર્ગત કરવામાં આવશે. ખાસ વાત છે કે, સુણોકનું આ ઐતિહાસિક નિલકંઠ મહાદેવનું મંદિર પૂર્વાભિમૂખ છે, એટલે કે અહીં પૂર્વાભિમૂખ નીલકંઠ મહાદેવ છે, જે 16 સ્તંભ પર છે, મંદિરની દિવાલો પર હિન્દુ નાગરશૈલીના અનેક શિલ્પો અને સ્થાપત્યો અંકિત થયેલા છે.




કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઐતિહાસિક મંદિરોનું વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં નવી ઓળખ કરાયેલાં સ્થાનોમાં તમિલનાડુનાં 8 મંદિરો, મહારાષ્ટ્ર અને બિહારનાં 3-3 મંદિરોનો સમાવેશ થાય છે. 




 


રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ મળતાં પીએમ મોદીએ ખુશી સાથે આપી પહેલી પ્રતિક્રિયા


દેશમાં આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે અને રામલલા બાલ સ્વરૂપની પ્રતિમાનો અભિષેક કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ઉદઘાટન અને અભિષેક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રામ મંદિરના ઉદઘાટન માટે મળેલા આમંત્રણનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ હિન્દી અખબાર દૈનિક જાગરણને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મારા માટે 22 જાન્યુઆરી, 2024 એ 'હર ઘર અયોધ્યા, હર ઘર રામ' આવવાના છે. અખબાર અનુસાર, વડાપ્રધાને કહ્યું કે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે - 'સફલ સકલ સુભ સાચન સાજૂ, રામ તમ્હહિ અવલોકત આજૂ', મતલબ કે શ્રી રામના દર્શન કરવાથી જીવન સફળ થાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ પવિત્ર કાર્ય કરવા આમંત્રણ મળ્યું છે. હજારો વર્ષોથી શ્રી રામે લોકોના જીવનમાં સકારાત્મકતા ફેલાવી છે.


રામ મંદિરનું ઉદઘાટન સંતોષનો અવસર - પીએમ મોદી 
પીએમે કહ્યું કે જો તમે થોડીવાર માટે વિચારશો કે આ પવિત્ર અવસર પર પ્રધાન સેવક બનવાને બદલે હું એક સામાન્ય નાગરિક છું, જે એક ગામડામાં બેઠો છે, તો મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ થશે જેટલો પ્રધાનસેવક તરીકે જવાનો મોકો મળ્યો છે. આ ખુશી માત્ર મોદીની નથી. આ ભારતના 140 કરોડ હૃદયની ખુશી અને સંતોષનો અવસર છે.


શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે - ડીએમ 
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સંદર્ભમાં જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. ડીએમ નીતિશ કુમારે કહ્યું, "મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થવાનું છે. આનાથી પાર્કિંગમાં સુધારો થશે. અહીં 600થી વધુ વાહનો પાર્ક કરી શકાય છે... જ્યાં પણ સરકારી જમીન ખાલી હશે ત્યાં અમે પાર્કિંગની સુવિધા આપીશું."