મહેસાણાઃ વિસનગરના સવાલા ગામ પાસે કોંગ્રેસના નેતાના ઘરે લગ્નપ્રસંગમાં જમણવાર પછી એક હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થઈ જતાં ભાગદોડ મચી ગઈ હતી. રાત્રે એક વાગે લોકોને ઝેરી અસર થઈ હતી. 1000 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસરથી ભાગદોડ મચી હતી. તમામને મહેસાણા સિવિલ સહિત જુદી જુદી હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા 2 નંબર જાહેર કરવામાં આવ્યા .




કોઇ પણ વ્યક્તિને ફૂડ પોઈંઝનીંગના લક્ષણ જણાઇ આવે તો તાત્કાલિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. મહેસાણાનો સંપર્ક કરવા નંબર જાહેર કરવામાં આવ્યા.  02762-222220/222299 નંબર જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ નેતાના ત્યાં લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગની અસર થઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણ ના ત્યાં પ્રસંગ હતો.








Rajkot : જેતપુરના ખાખરીયા હનુમાન મંદિરના મહંતની હત્યા, કેવી હાલતમાં મળી આવી લાશ? રાજકોટઃ જેતપુરના ખાખરીયા હનુમાન મંદિરના મહંતની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી લાશ મળી હતી. ગઈ કાલે દોરીથી હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરાઇ હતી. મૃતદેહ બીલખાના ચોરવડી પાસેના ખાખરીયા હનુમાન મંદીરના મહંત હોવાની ઓળખ થઈ હતી.