લાખણીઃ બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં રાજકીય આગેવાન ભગવાનસિંહજી વાઘેલાનું અવસાન થયું છે. તેમના અવસાનને પગલે આજે લાખણી બજાર જડબેસલાક બંધ રહેશે. ભગવાનસિંહજી વાઘેલાના માનમાં આજે બજારે સ્વયંભૂ બંધ પાળ્યો છે. બજારમાં ખરીદીના કામે આવતા લોકો આજે ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. લાખણી APMC આજે એક દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે.