મહેસાણાઃ અમેરિકા લઈ જવાની લાલચ આપી કોલકત્તામાં ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના બે અને કોલકત્તાના એક એજન્ટ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નાની કડી ખાતે રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. નાની કડી ખાતે રહેતી રશ્મિકા પટેલે અપહરણ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રશ્મિકા પટેલને અપશબ્દો બોલી બળજબરી પૂર્વક 2.74 લાખ પડાવી લેવાયા હતા.


અમેરિકા લઈ જવાના બહાને 36 વર્ષીય યુવતીને દોઢ મહિના સુધી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી હતી. અમદાવાદના સુશીલ રોય, સંતોષ રોય અને કોલકત્તાના કમલ સિંઘાનિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


બનાવટી પાસપોર્ટને આધારે અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. બે અલગ અલગ વ્યક્તિને પતિ પત્ની તરીકે દર્શાવીને મોકલવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે બોગસ પાસપોર્ટની તપાસ કરતા ભાંડો ફુટયો. ત્રણ વર્ષમાં 30 વધુ લોકોને અમેરિકા મોકલાયા. એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂપિયા 65 લાખ જેટલી માતબર રકમ લેતા હોવાનું પણ પુછપરછમાં જાણવા મળ્યું છે.


છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કબૂતરબાજીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચને કબૂતરબાજી કરતા ચાર લોકોની ધરપકડ કરી. મહેસાણાના રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે ખોટા પાસપોર્ટ તૈયાર કરાયા. જો કે અત્યાર સુધી આ મહેસાણાના પરિવાર પાસેથી સવા કરોડથી દોઢ કરોડ રૂપિયા લીધા હતાં. પતિ પત્ની બનાવીને ખોટા નામ ધારણ કરાવી મેક્સિકોથી અમેરિકા મોકલવાનું કાવતરુ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરેશભાઈ અને હાર્દિકને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા પહેલા ઝડપી પાડયા. રજત ચાવડા પાસપોર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે. 


Coronavirus Cases Today in India:દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22 હજાર 270 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે. ગઈકાલે 25 હજાર 920 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ​​કેસમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા દિવસે 66 હજાર 298 લોકો સાજા થયા છે.


એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 53 હજાર 739 થયા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 53 હજાર 739 થઈ ગઈ છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 11 હજાર 230 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 20 લાખ 37 હજાર 536 લોકો ડિસ્ચાર્જ થયા છે.


શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 607 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીના કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 18,54,774 થઈ ગઈ છે. આ સિવાય ચાર દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 26,095 પર પહોંચી ગયો છે. રાજધાનીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.


અત્યાર સુધીમાં લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે


દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 36 લાખ 28 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 175 કરોડ 3 લાખ 86 હજાર 834 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 1.82 કરોડ (1,87,00,141) થી વધુ ડોઝ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે.