પાટણઃ પાટણ જિલ્લાના ચાણસ્મા અને મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક બાળકી સહિત કુલ ત્રણના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકને બચાવવા જતા દુર્ઘટના ઘટી હતી. 


અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


Rajkot : નિરાલી રિસોર્ટમાં લાગેલી આગ મામલે થયો મોટો ધડાકો, દરવાજો ખોલનારે શું આપ્યું મોટું નિવેદન?


રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાક રૂમમાં લાગેલી આગમાં  કેટરિંગ કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હતા. ત્યારે હવે આ આગ મામલે મોટો ધડાકો થયો છે. રાજકોટના નિરાલી રિસોર્ટમા કામ કરતા કર્મચારીએ કહ્યું, દાઝેલા લોકો દરવાજાને લાત મારતા હતા. દાજેલા લોકો ગભરાઈ ગયા હોવાથી ઊંઘો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. આગ સમયે હાજર ચન્દ્રસિંગ બિસ્તએ જણાવ્યું દરવાજો ખુલો જ હતો. બચાવ કામગીરી સમયે દરવાજો ખોલનાર કર્મચારીએ આપ્યું નિવેદન.
 


આ આગની ઘટના પછી તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ લાગી કે કોઈએ લગાડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.  દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હોવાનું ભોગ બનનારનું રટણ છે. 


આગ લગાડવામાં આવી છે કે કેમ તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. આગ લાગી એ સમયે બહાર દરવાજો કોને બંધ કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી. આગ લાગી કે લાગવાઈ FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે.


દાઝેલા કર્મચારીઓ


રાજુભાઇ લબાના
લોકેશ લબાના
હિતેશ લબાના
દેવીલાલ લબાના
લક્ષ્મણ લબાના
દિપક લબાન
શાંતિપ્રસાદ લબાના
ચિરાગ લબાના