રાજકોટ: ગોંડલના વાછરા ગામે બળદે ઢીંક મારતા ખેડૂતનું મોત નીપજ્યું છે. અરવિંદભાઈ વસાણી નામના ખેડૂતનું મોત થયું છે. મૃતક ખેડૂત વાવણી માટે તૈયારી કરી રહ્યા હતા. ખેડૂતના મોતથી વાછરા ગામમાં શોકનો માહોલ છવાયો છે. 


Vadodara : માતાએ પ્રેમી સાથે મળીને 6 વર્ષના માસુમ દીકરાની કરી નાંખી હત્યા, હત્યા પછી લાશ થાંભલા સાથે ઊંધી લટકાવી દીધી 
વડોદરાઃ સાવલી તાલુકાના પશ્વા ગામે છ વર્ષના બાળકની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ તેની જ માતા દ્વારા કરી હોવાનું સામે આવતાં માતા પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. પ્રેમમાં અંધ બની ગયેલી માતાએ ખૂદ પ્રેમી સાથે મળીને માસૂમ દીકરાની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. 


પ્રેમ સંબંધમાં બાધારૂપ બની રહેલ છ વર્ષના બાળકની જનેતાએ જ પ્રેમી સાથે મળી કરી પોતાના બાળકની હત્યા કરી નાંખી હતી. તેમજ બાળકની હત્યા કર્યા બાદ સિમેન્ટના થાંભલા સાથે ઊંધો લટકાવી દઇ પ્રેમી નાસી છૂટયો હતો. સાવલી પોલીસે ગણતરીની મીનીટોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો. સાવલી પોલીસ હત્યારી જનેતા તેમજ પ્રેમીની ધરપડ કરી બંને હત્યારાઓને જેલ હવાલે કર્યા છે. છ વર્ષના બાળકની હત્યાથી સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે. 


Navsari : સૂતેલા પુત્રના હાથમાં કુહાડીના ઘા મારી પિતાએ જ કરી નાંખી હત્યા, 20 વર્ષીય પુત્રની હત્યાથી હાહાકાર
નવસારીઃ ખેરગામ તાલુકાના નારણપોર ગામે ખૂબ પિતાએ પુત્રની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ નામના યુવકની તેના જ પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી છે. વહેલી સવારમાં પુત્ર સુતો હતો એ સમયે માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. 


આશરે 20 થી 21 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેરગામ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે. પોલીસે પિતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પિતાએ પુત્રની હત્યા કયા કારણોસર કરી એ અકબંધ છે.