Edible Oil Price:  સિંગતેલના ભાવમાં એક મહિનામાં 100 રૂપિયા ડબ્બે ઘટ્યા છે. નવી સિઝનનું સિંગતેલ બજારમાં ઠલવાતા ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના ડબાનો ભાવ એક મહિના પહેલા 2750 થી 2790 હતો, જ્યારે ગઈકાલે બંધ ભાવ 2650 થી 2690 રહ્યો હતો. સિંગતેલના ભાવ ડિસેમ્બરમાં વધશે તેમ માનવામાં આવી રહ્યું છે. લગ્નની સિઝન છતાં મગફળીની સતત આવકને પગલે ભાવમાં ઘટાડો નોંધાયો છે. બારમાસી સિંગતેલ ભરવાની સિઝન નવેમ્બરથી ડિસેમ્બર મહિનો હોય છે. આ બે મહિનામાં મોટાભાગના લોકો વર્ષ માટેનું સિંગતેલ ભરતાં હોય છે.


કેટલા ટકા લોકો AAPના ઈસુદાન ગઢવીને ગુજરાતના CM બનવવા માંગે છે ?  સર્વેના પરિણામ છે ચોંકાવનારા


આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને સૌથી રસપ્રદ બનાવવાનો દાવો કરી રહી છે. કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં તેના મુખ્યમંત્રી ચહેરાની પણ જાહેરાત કરી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઇસ્પદાન ગઢવીને ગુજરાતમાં AAPના CM ચહેરા તરીકે જાહેર કર્યા છે.


ગુજરાતમાં ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ પહેલા વિવિધ ન્યૂઝ ચેનલોના સર્વેમાં જનતાના મૂડનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ટીવી-મેટરાઈઝના સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે તેઓ ગુજરાતમાં સીએમ તરીકે કોને પસંદ કરે છે. ચાલો જોઈએ કે તેમનો શું જવાબ હતો.


પ્રશ્ન - ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે


ભૂપેન્દ્ર પટેલ - 32 ટકા


શક્તિસિંહ ગોહિલ - 6 ટકા


ભરતસિંહ સોલંકી - 4 ટકા


ઇસુદાન ગઢવી - 7 ટકા


સર્વેના અંદાજો પરથી સ્પષ્ટ થાય છે કે ઇસુદાન ગઢવી માત્ર સાત ટકા લોકોની સીએમ પસંદગી છે. જોકે સાચુ પરિણામ 8મીએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે.


આ પણ વાંચોઃ


કેન્દ્ર સરકાર આધાર કાર્ડ ધારકોને 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે, જાણો સરકારે શું કર્યો ખુલાસો