Rupala Controversy: રાજ્યમાં લોકસભાની ચૂંટણી વચ્ચે રૂપાલા અને ક્ષત્રિય સમાજન વચ્ચેનો ગજગ્રહ સતત વધી રહ્યો છે. ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરૂદ્ધ હવે ક્ષત્રિય સમાજ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે, અને એક જ માંગ પર અડ્યો છે કે, રૂપાલાની રાજકોટ બેઠક પરથી ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજની બહેનો પરની રૂપાલાની ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં રોષ સતત વધી રહ્યો છે. ગઇકાલે ક્ષત્રિય સમાજે રાજકોટના રતનપરના ક્ષત્રિય મહાસંમેલન યોજ્યુ હતુ, અને રૂપાલા વિરૂદ્ધ બાંયો ચઢાવી હતી, હવે આ કડીમાં વધુ એક અપડેટ સામે આવ્યુ છે. રતનપર બાદ હવે ક્ષત્રિય સમાજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ક્ષત્રિય મહાસંમેલન કરવાની ચિમકી આપી છે. 


ગઇકાલે ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય મહાસંમેલન યોજ્યુ હતુ, અને રૂપાલાની રાજકોટમાંથી ટિકીટ રદ્દ કરવા માટે ભાજપને આહવાન કર્યુ હતુ. હવે સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે,  રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ આક્રોશ યથાવત છે, રાજકોટના સંમેલનમાં ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યુ છે, ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીમાં રૂપાલાને ફોર્મ પરત ખેંચવા અલ્ટીમેટમ આપ્યુ છે, તેમને કહ્યું છે કે, જો રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો અમદાવાદમાં આંદોલનની કરવામાં આવશે, તેમને હવે રતનપર બાદ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આંદોલનની ચિમકી આપી છે. 


રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં હરપાલસિંહ ચુડાસમાનું નિવેદન 


રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા આવેલા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, તૂફાન ભી રૂક જાયેગા જબ લક્ષ્ય હોગા સીનેમે. ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે. માગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજકોટના રાજપૂત દશા બગાડી નાખશે. માતા સીતાનું રાવણે હરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામ લોકોને જોડતા જોડતા લંકા પહોંચ્યા હતા. લંકા પહોંચીને શ્રી રામે રાવણને કહેડાવ્યું કે સીતા માતાને મૂકી જાય યુદ્ધ નથી કરવું. આપડે જેટલા આવેદન આપવાના હતા આપી દીધા છે. 


19 તારીખે 5 વાગ્યા પછી ક્ષત્રિયોનો ગુસ્સો રૂપાલા સુધી સીમિત નહિ રહે. ભાજપની વાત ન કરવા કહેવાયું પણ છાસ લેવા જવી અને દોણી સંતાડવી તેવું થોડું ચાલે. આ કોઈ પાર્ટીનું નહિ અમારી માતા - બહેનોની અસ્મિતાનું આંદોલન છે. માતા -બહેનોને કહું છું ઉપવાસ કે જોહર કરવાની વાત ન કરતા  આપણું લક્ષ્ય આપનું બુથ છે. આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિય સામે જોઈ ન શકવો જોઈએ. આ તમામ સમાજની માતા-દીકરીની વાત છે.


રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ઉતેલિયા સ્ટેટના ભગીરથસિંહનું નિવેદન


આ ધરતી પર માત્ર વીરોને રાજ કરવાનો અધિકાર છે. રાજપૂત ક્યારેય એક ના થઈ શકે તેવું કહેવામાં આવે છે, આ સંમેલનને સિદ્ધ કર્યું કે રાજપૂત એક છે.  રૂપાલા જો ઉમેદવારી કરશે તો તે ભાજપની સહમતી માનવી. 16 તારીખ પછી આપણી લડાઈ સીધી ભાજપ સામેની થશે.  રાજપૂત દેશના ખૂણે ખૂણેમાં વસેલા છે. રૂપાલા ઉમેદવારી કરે તો ત્યારબાદ દરેક ગામમાં ભાજપ વિરોધી મતદાનની રણનીતિ અમલમાં મુકીશું.  26 મુખ્ય કન્વિનર, દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં કન્વિનર નીમીને અન્ય સમાજને સમજાવીશું. એક ક્ષત્રિય અન્ય સમાજના 10 લોકોને ભાજપ વિરોધી મતદાન કરાવશે.


રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં કિશોરસિંહનું નિવેદન


ક્ષત્રિય પોતાના માટે ક્યારેય લડતો નથી પણ આ વાત ક્ષત્રિયની સ્મિતા પર વાત છે. આ સૌર્યરૂપ શક્તિસ્વરુપ તમે સામેથી બોલાવ્યું છે. સમગ્ર દેશમાં એકમાત્ર નાની માગણી છે.  ટિકિટ કેન્સલ થાય તો બધું પૂરું નહિ તો પાર્ટ 2 શરૂ થશે.


ક્ષત્રિય મહાસંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન


શરૂઆત આપણે નથી કરી, 70 વર્ષના અને જેના તમામ વાળ સફેદ થયા તેમણે કરી છે.  આવેદનપત્રો આપ્યા, સંમેલનો કર્યા અને આજે મહાસંમેલન છે. જુના જમાનાની જેમ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો છે. રૂપાલાની ટીકીટ રદ્દ નહિ થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે. તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો,બાંધી જોજો. પરસોત્તમ રૂપાલાને કહેવા માગું છું ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડે છે.  પરસોત્તમભાઈ સભામાં સાયરી કરે છે વો સમાં ક્યાં બુજેગી, આ વાવાઝોડું છે, ચકડીએ ચડાવી દેશે. સંકલન સમિતિ કાર્યક્રમનું આયોજન કરતી નથી.  કાર્યક્રમના આયોજનમાં સંકલન સમિતિ માર્ગદર્શન આપે છે. ક્ષત્રિય સમાજના આંદોલનનું પાર્ટ 1 પૂરું થાય છે.  રૂપાલા ફોર્મ ભરશે અને જો પાછું નહિ ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે.


ક્ષત્રિય મહિલસભાના અધ્યક્ષા ચેતનાબા જાડેજાનું નિવેદન


16 તારીખે ચૈત્રી નવરાત્રીની આઠમે માતાજીને પ્રાર્થના કરીએ કે ફોર્મ ના ભરાય. આ જન સેલાબ સ્વયંભૂ ઉભરાયો છે. ના ડરશું, ના ડરાવશું, ક્ષાત્ર ધર્મ નીભાવશું. સમી છાતીએ લડીશું, પીઢ પાછળ ઘા નહિ કરીએ.