Satish Kaushik Death News: પંચતત્વમાં વિલીન થયા સતીશ કૌશિક, ભત્રીજાએ આપી મુખાગ્નિ

Satish Kaushik Death: અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું બુધવારે દિલ્હીમાં 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુના સમાચારથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો.

gujarati.abplive.com Last Updated: 09 Mar 2023 08:47 PM
પંચતત્વમાં વિલીન થયા સતીશ કૌશિક

વર્સોવાના સ્મશાનભૂમિમાં સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાના મિત્રને અંતિમ વિદાઈ આપતી વખતે અનુપમ ખેર પોતાના આંસુ રોકી શક્યા ન હતા. સતીશ કૌશિકના પાર્થિવ દેહને તેમના ભત્રીજાએ મુખાગ્નિ આપી હતી.


 





સલમાન ખાન સતીશ કૌશિકના ઘરે પહોંચ્યો

સલમાન ખાન સતીશ કૌશિકના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો છે. આ પહેલા અભિષેક બચ્ચન પણ સતીશ કૌશિકના ઘરની બહાર અનુપમ ખેરને મળ્યો હતો.

સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા આ સ્ટાર્સ

સેલેબ્સ તેમના મિત્ર, વરિષ્ઠ અભિનેતા, સહ અભિનેતા સતીશ કૌશિકના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. અર્જુન કપૂર, રાકેશ રોશન, બોની કપૂર, અલકા યાજ્ઞિક, અનુપમ ખેરથી લઈને રાજ બબ્બર સુધીના તમામ સેલેબ્સ સતીશ કૌશિકની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચ્યા છે.

સતીશ કૌશિકના પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો

સતીશ કૌશિકના પાર્થિવ દેહને લઈને ચાર્ટર્ડ ફ્લાઈટ મુંબઈ આવી ગઈ છે. થોડીવારમાં અભિનેતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તેમના ઘરે લઈ જવામાં આવશે.

Satish Kaushik Death News Live: મુંબઈમાં આજે સાંજે 5 વાગે કરાશે સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર

પોસ્ટમોર્ટમ પૂર્ણ, મૃત્યુને કારણે હાર્ટ એટેક : સૂત્ર
સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. અહેવાલો અભિનેતાના મૃત્યુના કારણ તરીકે કાર્ડિયાક અરેસ્ટ સૂચવે છે: સૂત્ર





Satish Kaushik Death News Live: દિલ્હીમાં થયું સતીશ કૌશિકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, આજે થશે અંતિમ સંસ્કાર

પીએમ નરેન્દ્ર મોદીએ સતીશ કૌશિકને આપી શ્રદ્ધાંજલિ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતીશ કૌશિકના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, શ્રી સતીશ કૌશિક જીના આકસ્મિક નિધનથી હું દુખી છું. તે ખૂબ જ ક્રિએટિવ હતા અને તેણે પોતાની એક્ટિંગ અને ડિરેક્શનથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. તેમનું કામ હંમેશા દર્શકોનું મનોરંજન કરશે. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.''





Satish Kaushik Death And Funeral Live Updates: સતીશ કૌશિકનું કારમાં હાર્ટ એટેકથી મૃત્યુ, દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં કરવામાં આવશે પોસ્ટમોર્ટમ

Satish Kaushik Death: સાઉથ વેસ્ટ પોલીસ આ મામલે કરી રહી છે તપાસ 
સતીશ કૌશિકના મૃત્યુના કેસમાં સાઉથ વેસ્ટ પોલીસ તપાસ કરી રહી છે. બિજવાસનના ફાર્મ હાઉસમાં હોળી રમ્યા બાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ સતીશ કૌશિકની તબિયત લથડી હતી.

Satish Kaushik Death And Funeral Live Updates: સતીશ કૌશિકનું કારમાં હાર્ટ એટેકથી મૃત્યુ, દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં કરવામાં આવશે પોસ્ટમોર્ટમ

કંગના રનૌતે દુઃખ વ્યક્ત કર્યું
સતીશ કૌશિક છેલ્લે કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે. સતીશ કૌશિકના નિધનના સમાચાર સાંભળીને કંગનાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સતીશ કૌશિક સાથેની તસવીર શેર કરતાં તેણે લખ્યું, “સવાર આ દર્દનાક સમાચાર લઈને આવી. તેઓ મારા સૌથી મોટા ચીયરલીડર હતા, એક ખૂબ જ સફળ અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિક જી પણ વ્યક્તિગત રીતે ખૂબ જ સરસ અને અસલી વ્યક્તિ હતા, ઇમરજન્સીમાં તેમનું નિર્દેશન કરવામાં મને ખૂબ આનંદ થયો. તેઓની કમી હંમેશા રહેશે, ઓમ શાંતિ.





મધુર ભંડારકરે સતીશ કૌશિકને આપી શ્રદ્ધાંજલિ 
મધુર ભંડારકરે ટ્વિટર પર સતીશ કૌશિકને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમ ણે લખ્યું, "હું અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિક જીના નિધનથી ઊંડો આઘાત અનુભવું છું, જેઓ હંમેશા ઉત્સાહી, ઊર્જાવાન  જીવનથી ભરપૂર હતા, તેમના પરિવાર અને સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. 





Satish Kaushik Death And Funeral Live Updates: સતીશ કૌશિકનું કારમાં હાર્ટ એટેકથી મૃત્યુ, દિલ્હીની દીનદયાલ હોસ્પિટલમાં કરવામાં આવશે પોસ્ટમોર્ટમ

પોસ્ટમોર્ટમ સવારે 11 વાગ્યે શરૂ થશે
સતીશ કૌશિકનો મૃતદેહ હાલમાં દિલ્હીની દીનદયાળ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. આજે લગભગ અગિયાર વાગ્યે તેમનું પોસ્ટમોર્ટમ શરૂ થશે. જે બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. આ પછી તેમના પાર્થિવ દેહને મુંબઈ લઈ જવામાં આવશે.

બ્રેકગ્રાઉન્ડ

Satish Kaushik Death: અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું બુધવારે દિલ્હીમાં 66 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુના સમાચારથી હિન્દી ફિલ્મ ઉદ્યોગને આઘાત લાગ્યો અને ઘણા લોકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. સતીશને જ્યારે રોડ ટ્રીપ દરમિયાન હાર્ટ એટેક આવ્યો ત્યારે દિલ્હીમાં હતા. ગુરુવારે તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવશે.


ગૃહમંત્રી અમિત શાહે સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી
દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'અભિનેતા, નિર્દેશક અને લેખક સતીશ કૌશિક જીના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન, તેમની કલાત્મક રચના અને અભિનય હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ''





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.