Heart Attack News: સુરતમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. સુરતમાં યુવાનને છાતીમાં અચાનક દુઃખાવો ઉપડ્યો અને અચાનક હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ. કહેવાઇ રહ્યું છે કે યુવાને મોત પહેલા ઇનો પીધો હતો, જે પછી મોતને ભેટ્યો હતો. હાલમાં પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, આ પહેલા પણ સુરતમાં એક જ દિવસે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોતથી સનસની મચી ગઇ હતી. 


સુરતમાં વધુ એક આશાસ્પદ યુવાનનુ હાર્ટ એટેકથી મોત થયુ છે, મળતી માહિતી પ્રમાણે, સુરતના હજીરામાં કંપનીમાં કામ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં રહેતા 38 વર્ષીય હરીચંદન રાજબંસીને ગઇકાલે અચાનક છાતીમાં સખત બળતરા અને દુઃખાવો થઇ રહ્યો હતો, આ દુઃખાથી રાહત મેળવવા માટે તેને ઇનો પીધો હતો, જોકે, ઇનો પીધા પછી દુઃખાવો વધી ગયો અને તે હૉસ્પીટલ પહોંચે તે પહેલા જ હાર્ટ એટેકથી યુવાનનો મોત નીપજ્યુ હતુ. હાલમાં આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન સુરતના હજીરા વિસ્તારમાં કામ કરતો હતો, હજીરાની L&T કંપનીમાં છેલ્લા 14 વર્ષથી કન્સ્ટ્રકશનનું કામ કરી રહ્યો હતો. 


હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ,  નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ,  મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.


શું કહે છે એક્સપર્ટ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ.  પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.