Russia Ukraine War: છેલ્લા બે વર્ષથી ચાલી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા રશિયા અને યૂક્રને યુદ્ધની અસર હવે ભારત પર પણ પડવા લાગી છે. હાલમાં જ ભારતમાથી રશિયા ગયેલા યુવાનોના એક ટોળામાંથી એક યુવાનનુ આ યુદ્ધમાં મોત નીપજ્યુ છે. સુરતના 23 વર્ષીય યુવાન કામાર્થે એજન્ટ મારફતે રશિયા પહોંચ્યો હતો, જ્યાં તેનું આ યુદ્ધના કારણે મોત થયુ છે. હવે આ મામલ ઔવેસીએ પણ ભારતના યુવાનોને બચાવવા માટે સરકારને અપીલ કરી છે. 




બે વર્ષથી વધુ સમયથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ભયાનક યુદ્ધના કારણે બન્ને દેશો વચ્ચે સેનાઓ આમને સામને હથિયારોથી લડી રહી છે. આ યુદ્ધમાં યૂક્રેનને મોટુ નુકસાન પહોંચ્યુ છે, તો વળી રશિયાને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નિરાશા મળી રહી છે. પરંતુ હવે ભારત પણ આ યુદ્ધના કારણે અસરગ્રસ્ત થઇ રહ્યું છે. હાલમાં જ માહિતી મળી છે કે, રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવાનનુ મોત નીપજ્યુ છે. એજન્ટ મારફતે કામ અને ધંધાર્થે રશિયા ગયેલા સુરતના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા એજન્ટ દ્વારા સુરતમાંથી લગભગ 12 જેટલા યુવાનો કામ માટે રશિયા ગયા હતા, જેમાં હેમિલ માંગુકિયા પણ સામેલ હતો. જોકે, આ યુદ્ધની સ્થિતિમાં તેનું મોત થયુ છે. ખાસ વાત છે કે, રશિયા અને યૂક્રેન યુદ્ધમાંથી હવે ભારતીયોને બચાવવા ફરી એકવાર ઔવેસી જેવા નેતાઓએ સરકારને અપીલ કરી છે. 


રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂર્ણ, યુક્રેનના મંત્રીએ ભારતને લઈ કહી આ મોટી વાત


યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. બીજી વર્ષગાંઠ પર યુક્રેને ભારતને યુદ્ધનો શાંતિપૂર્ણ અંત શોધવાની અપીલ કરી છે. યુક્રેને ભારતને વૈશ્વિક નેતા અને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવ્યો છે. યુક્રેને કહ્યું કે ભારતે રશિયા સામે ચાલી રહેલા યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.


યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ઈરિના બોરોવેટ્સે કહ્યું કે ભારતે શાંતિ શોધના ઉકેલનો ભાગ બનવું જોઈએ. ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેતાની ભૂમિકા ભજવી રહ્યું છે, તેથી તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભારતના રશિયા અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે. બોરોવેટ્સે કહ્યું કે સૌ પ્રથમ તો ભારત વૈશ્વિક નેતા છે, જે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે. તે રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વધુ અડગ પગલાં લઈ શકે છે. બોરોવેટ્સે કહ્યું, પીએમ મોદીએ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં રશિયન રાષ્ટ્રપતિને પણ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. આ નિવેદનને સમગ્ર વિશ્વનું સમર્થન મળ્યું. તેમણે કહ્યું કે, યુક્રેને ભારતને માર્ચમાં સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારી વૈશ્વિક શાંતિ સમિટમાં આમંત્રણ આપ્યું છે.




રશિયાના રાષ્ટ્રપતિ પહેલા જ પીએમ મોદી પાસેથી આશા વ્યક્ત કરી ચૂક્યા છે


આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે પીએમ મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે પીએમ મોદીના વલણને સમજીએ છીએ. અમે ઘણા પ્રસંગોએ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું જાણું છું કે તે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. અમે આ વિશે ઊંડાણમાં વાત કરીશું. તેમણે ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો. અમે બંને વિકાસના નવા આયામોને સ્પર્શી રહ્યા છીએ. પુતિને ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી અંગે પણ વાત કરી હતી.


રશિયન ડ્રોન હુમલામાં ચાર લોકો માર્યા ગયા


રશિયન સૈન્યએ શુક્રવારે યુદ્ધની બે વર્ષની વર્ષગાંઠ પહેલા, યુક્રેનના ઓડેસાના બ્લેક સી બંદરમાં એક વ્યાવસાયિક વિસ્તાર પર ડ્રોન હુમલો કર્યો. હુમલામાં ચાર લોકોના મોત થયા હતા.