સુરત: સિંગણપોર હેલ્થ સેન્ટરમાં ડોક્ટરની ગેરહાજરીમાં નર્સ દ્વારા પ્રસૂતિ કરાવ્યા બાદ પ્રસૂતાનું મોત નિપજતા પરિવારે હેલ્થ સેન્ટરના ડોકટર અને નર્સની બેદરકારીથી પ્રસુતાનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અમરેલીના તાતણીયા ગામના વતની અને કતારગામ બાપાસીતારામ ચોક પાસે નંદનવન સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ પાંડવ રત્નકલાકાર છે. તેમની સગર્ભા પત્ની તન્વી(29)ને રવિવારે પ્રસવ પીડા ઉપડી હતી. જેથી તન્વીને સિંગણપોર હેલ્થ સેન્ટરમાં લાવ્યા હતા. જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. 


જોકે પ્રસૂતિ બાદ તન્વીની તબિયત લથડી હતી. જેથી તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયુ હતું. પતિ જીજ્ઞેશભાઈએ આક્ષેપ કર્યો હતો કે, હેલ્થ સેન્ટરમાં કોઈ ડોક્ટર હાજર ન હતા અને નર્સ દ્વારા પ્રસૂતિ કરાઈ હતી. પ્રસુતી બાદ તન્વીની તબિયત લથડવા લાગી ત્યારે જીજ્ઞેશભાઈએ તેમને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવા માટે નર્સએ કહ્યું હતું. તન્વીની હાલત ગંભીર થયા બાદ નર્સ દ્વારા ડોક્ટરને જાણ કરાઈ હતી. ડોક્ટર જ્યાં સુધી હેલ્થ સેન્ટર પર ન આવે ત્યાં સુધી રાહ જોઈ હતી. ડોક્ટર આવ્યા બાદ તેણે 108 એમ્બ્યુલન્સ બોલાવી તન્વીબેનને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવારના આક્ષેપ અને તબીબ સહિતના સ્ટાફ સામે કાર્યવાહીની માંગને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તન્વીબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.


ભારતમાં કોરોના રસીકરણનો આંકડો 215 કરોડને પાર


India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221  નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.



સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ



  • 11 સપ્ટેમ્બરે 5076 કોરોના કેસ નોંધાયા હતા.

  • 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.

  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.

  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.

  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.

  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.

  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.

  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.

  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.

  •  2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.

  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા


ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિનજાણો શું છે ખાસિયતો


વિશ્વમાંથી કોવિડ-19 રોગચાળો ક્યારેય ખતમ થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સિન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, "નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જો આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. વર્તમાન વાયરસના સ્ટ્રેનથી તો બચાવશે પરંતુ તે ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે પણ વધુ સારું રહેશે અને લાંબા સમય સુધી રક્ષણ રહેશે.


ડૉ. અરોરાએ કહ્યું કે, નેકસ્ટ જનરેશન રસી એવી હોવી જોઈએ કે તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક લોકો સ્ટ્રેન સ્પેસિફિક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે."


ડૉ. અરોરાએ ભવિષ્યમાં અપેક્ષિત કોવિડ19 રસીના પ્રકારો સમજાવ્યા. તેમણે કહ્યું, "ભારતીય કંપનીઓ અને એકેડેમીયાએ આ પડકાર સ્વીકાર્યો છે અને આગામી થોડા મહિનામાં તેના વિશે વધુ માહિતી મળશે. મેં કહ્યું તેમ, ભારત હંમેશા રિહર્સલ કરવાનો અને પછી પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. અમે આગામી પેઢીની રસીઓ માટે અત્યંત સાવધાની સાથે કામ કરી રહ્યા છીએ. અન્ય વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ, ભારતીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પડકારને સ્વીકાર્યો છે. આગામી થોડા મહિનામાં, અમને ચોક્કસપણે પરિણામ મળશે."