સુરત: શહેરમાં રોગચાળાનો કહેર  વર્તાઈ રહ્યો છે. હવે આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં રોગચાળાને લઈ અત્યાર સુધી 34 લોકોના મોત થઇ ચુક્યા છે.



ચોમાસાના આગમન બાદ શહેરમાં ચોમેરથી રોગચાળાની બુમ ઉઠી રહી છે. તેમજ ડેન્ગ્યુ. ટાઈફોઈડ, તાવ, ગેસ્ટ્રો, મેલેરિયા, કોલેરા અને કમળાના કેસ વધવા સાથે મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે. વધુમાં અલથાણના યુવક અને પાંડેસરાની કિશોરીનું તાવમાં મોત થતા રોગચાળામાં મરણાંક 34 ઉપર પહોંચી ગયો છે.



સુરત રોગચાળો 


જુલાઈ 
રોગ      આંકડો 
ગેસ્ટ્રો        295
ટાઇફોઇડ   94
મેલેરિયા      93
ડેન્ગ્યુ        12



ઓગસ્ટ 
રોગ       આંકડો 
ગેસ્ટ્રો        132
ટાઇફોઇડ   41
મેલેરિયા      81
ડેન્ગ્યુ        17



આ સીઝનમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી રોગચાળામાં કુલ 34 લોકોના મોત થયા છે. ત્યારે સુરત પધારેલા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે રોગચાળાને લઈ હવે લોકો જાગૃત થાય,જ્યાં ગંદકી ફેલાય ત્યાં પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી કામગીરી કરવી જોઈએ.


વધુ એક વ્યક્તિના મોતથી હાહાકાર


સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત થયું છે. પાંડેસરામાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બીમારીથી પીડાતો હતો, તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રજારની ગંભીર બીમારી ન હતી. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાથી અત્યાર સુધીમાં 34 લોકોના મોત નિપજ્યા છે. વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થયા છે.


સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી રોગચાળામાં કુલ 30થી વ્યકિતઓ મોતને ભેટ્યા છે. તાજેતરમાં સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી-મચ્છરજન્ય બિમારી વાવર યથાવત છે.  ગોડાદરામાં તાવ અને અને ફેંફસામાં તકલીફ થયા બાદ યુવાન જ્યારે અમરોલીમાં તાવ આળ્યા બાદ આધેડનું મોત નિપજ્યું હતું.




નવી સિવિલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં કેશવનગરમાં રહેતો ૩૨ વર્ષીય તેજનારાયણ રામબાલક સીંગને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો અને ટી.બીની અસર એટલે ફેંફસામાં તકલીફ હતી. જોકે ચાર દિવસ પહેલા તેમને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો હતો. જયાં સારવાર દરમિયાન રવિવારે સાંજે તેનું મોત નીંપજયુ હતું. જયારે તેજનારાયણ મુળ બિહારનો વતની હતો. તે સિક્યુરીર્ટીગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તેને એક સંતાન છે.