સુરત: રાજ્યમાં વરસાદી માહોલમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ગત મોડી રાતે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કોસંબા પાસે બનેલી ગોઝારી ઘટનામાં બે વ્યક્તિઓ આગમાં ભડથું થઈ ગયા હતા.




કોસંબામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં બંને વાહનોમાં આગ લાગી હતી. જેમાં ટ્રક ચાલક અને ક્લિનર બંને ભડથું થઈ ગયા હતા.



ટ્રક ચાલકે તેની આગળ જઈ રહેલા ટેન્કર પાછળ ટ્રક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

હવે આ બેંકમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા પર પણ આપવો પડશે ચાર્જ, આવતીકાલથી જ થશે અમલ

ગાંધીનગરના ફરાર સિરિયલ કિલરને ATSએ સરખેજથી ઝડપ્યો, જાણો વિગત

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ