સુરતઃ ગુજરાતમાં (Gujarat Corona Cases) છેલ્લા થોડા દિવસોથી કોરોનાએ (Coronavirus) રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ-ચાર દિવસથી રોજના 2200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં પણ બે મોટા શહેરો અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ફરીથી ચિંતાજનક છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે.  


4 કરતાં વધુ વ્યક્તિ નહીં ભેગા થઈ શકે


ડાયમંડ નગરી (Diamond City) સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલીસ કમિશનરે (Surat Police Commissioner)  જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પોલીસ કમિશનરે  4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે.


કોને લાગુ નહીં પડે આ નિયમ


જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.


સુરતમાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ


સુરતમાં સતત ચોજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 2400થી વધારે નવા કેસ નોંધાયા છે.  


સોમવાર, 29 માર્ચે 603


રવિવાર, 28 માર્ચે 6011


શનિવાર, 27 માર્ચે 607


શુક્રવાર, 26 માર્ચે 609


ગુરુવાર, 25 માર્ચે, 501


બુધવાર, 24 માર્ચે 480


મંગળવાર, 23 માર્ચે 476


સોમવાર, 22 માર્ચે 429


રવિવાર, 21 માર્ચે 405


શનિવાર, 20 માર્ચે 381


સુરતમાં કોરોનાથી એક હજારથી વધુના મૃત્યુ


સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે એક હજારને પાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનો આંક 3 લાખને પાર થયો છે. ગુજરાત દેશનું એવું 12મું રાજ્ય છે જ્યાં કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. 


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


સોમવારે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગાઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.


Horoscope Today 30 March 2021 આજનું રાશિફળઃ   આ રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ કાનૂની રીતે ફસાવી શકે છે, જાણો કેવો રહેશે તમારો દિવસ