સુરતઃ ચોક બજાર વિસ્તારમાં 16 વર્ષય સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધી પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સગીરાએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીજેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાને લગ્નની લાલચ આપી હોટલ અને કાફેમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. 


આ શારીરિક સંબંધને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. જેની જાણ થતાં પ્રેમીએ તરછોડી દીધી હતી.  માતાને સમગ્ર હકીકત ખબર પડતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી મહાવીર ગૌતમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગેની વધુ વિગત એવી છે કે, શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતી સગીરાને અમરોલીના મહાવીર નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. એક જ મહિનાના સમયગાળામાં સગીરા સાથે યુવકે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાને લગ્નની લાલચ આપી યુવક હોટલ અને કાફેમાં લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. જેને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જોકે, સગીરા ગર્ભવતી થઈ જતા યુવકે તેને તરછોડી દીધી હતી. આ અંગે સગીરાની માતાને જાણ થતાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


Gujarat Crime : પરણીત યુવકને અન્ય યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, પત્ની આડખીલી બનતા કર્યું એવું કે....


Gujarat Crime :  બનાસકાંઠામાં લફરાબાજ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરણીત યુવકને અન્ય યુવતી સાથે લફરું થઈ ગયું હતું. આ આડાસંબંધ એટલા આગળ વધી ગયા હતા કે, પ્રેમિકાને પામવા માટે યુવકે પત્નીનું જ ઢીમ ઢાળી દીધું હતું. એટલું જ નહીં, પત્નીની હત્યા પછી તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને લફરાબાજ પતિને જેલ હવાલે કરી દીધો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાના નોદોત્રા ગામમાં ઠોકરવાસમાં રહેતા પરણીત યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પત્ની આડખીલી બનતી હોવાથી તેણે તેનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. જે પ્રેમાણે ગત ચોથી ઓક્ટોબરે પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ગરબા જોઇ પરત આવતા પત્નીનું અકસ્માતમાં મોત થયું હોવાનું ઉપજાવી કાઢ્યું હતું. 


આ અંગે પોલીસે અકસ્માતે મોનો ગુનો નોંધીને તપાસ કરતાં પરણીતાનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં જ પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દાંતીવાડા પોલીસે આરોપીની અટકાયત કરી હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.