વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગીને સરતના વરાછામાં મકાન ભાગેથી રાખીને પોતાનો સંસાર માંડ્યો હતો પરંતુ રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગીને નાસિકના ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શનિવારે વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમના પરિવારે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે તેઓ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ માંગતા નથી. વેવાઈ-વેવાણના કારણે પરિવારે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે જેથી તેઓ આ અંગે કંઈ બોલવા માટે તૈયાર નથી તેવું પણ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વેવાણ તેમના પિયરમાં રહેતા હતા અને તેમના પતિ તેમને અપનાવવા માટે તૈયાર નહોતા જેના કારણે વેવાઈના મનમાં ફરી એકલા પડી ગયેલા વેવાણ માટે પ્રેમ પાંગર્યો હતો અને બન્ને ફરી એકવાર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ત્યાર બાદ બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે, સમાજમાં વેવાઈ-વેવાણ વચ્ચેના પ્રેમના કારણે બન્ને પરિવારોની વધારે ફજેતી ના થાય તે માટે તેઓ પરત ફર્યાં હતા.