સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર (Gujarat Corona Cases) મચાવ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ સૌથી ખરાબ છે. આ દરમિયાન સુરતના અમરોલીમાં રેપીડ ટેસ્ટ કરવા માટે ફાળવેલી બ્લુ સીટી બસ સળગી ઉઠી હતી. ઘટનાને પગલે થોડીવાર માટે અફડાતફડી સર્જાઈ હતી.



મળતી વિગત પ્રમાણે અમરોલીના સ્વીટ હોમ ખાતે ઘટના બની હતી. અમરોલી કોસાડ ઈમરજન્સી સેવા માટે બસ ફાળવેલી હતી. બસમાં રેપિડ ટેસ્ટના અધિકારી સેનીટાઇઝર તથા અન્ય દવાઓ હતી. રેપીડ ટેસ્ટ કરનાર અધિકારીઓનો બચાવ થયો પરંતુ દવાઓ બળી ને ખાખ થઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આવીને આગ કાબુમાં લીધી હતી. ફાયર વિભાગે આવીને આગ કાબુમાં લીધી હતી.


સુરતમાં શું કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કારણે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં અમદાવાદ અને સુરત (Surat Corona Cases) મોખરે છે. સુરત શહેર-જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 85,451 પર પહોંચી ગઈ છે. કુલ મોતની સંખ્યા 1430 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 72,856 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હા લ શહેર-જિલ્લામાં કુલ 11,165 એક્ટિવ કેસ છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોનાના નવા 9541 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે સુરતમાં ૨૬-અમદાવાદમાં ૨૫ સહિત કુલ ૯૭ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક્ટિવ કેસ હવે ૫૫,૩૯૮ છે જ્યારે ૩૦૪ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર એક સપ્તાહ અગાઉ ગુજરાતમાં ૨૭ હજાર એક્ટિવ કેસ હતા. આમ, ૭ દિવસમાં રાજ્યમાં એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે. 


રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,08,994 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 13,61,550 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,01,70,544 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું  બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.


ગુજરાતનું આ જગવિખ્યાત હનુમાનજી મંદિર 30 એપ્રિલ સુધી બંધ કરાયું, હનુમાન જ્યંતિની ઉજવણી કઈ રીતે કરાશે ?


ઉત્તર ગુજરાતના આ મોટા શહેરમાં સોમવારથી ‘હાફ લોકડાઉન’, શનિ-રવિ પણ તમામ બજારો રહેશે બંધ