સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતા. સુરતમાં શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 43,294 પર પહોંચી છે અને બુધવારે નવા 315 કેસ નોંધાયા હતા. શહેરનો રિકવરી રેટ  95 ટકા છે. જ્યારે 12,946 લોકો હોમ ક્વોરન્ટાઈન છે.


આ દરમિયાન સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું હતું. કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડીરહ્યો છે. બુધવારે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ કોરોન્ટાઈન કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજ્યાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું.


જે બાદ સુરત શહેરની મુલાકાતે આવતા મુસાફરોને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજીયાત બનાવાયું હતું. શહેરની મુલાકાતે આવતાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની માહિતી સુરત મનપાને ફરજિયાત  આપવી પડશે. સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝીટીવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી  મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે. 




અઠવા ઝોન મુકાયો રેડ ઝોનમાં


સુરતમાં અઠવો ઝોન રેડ ઝોન મુકવામાં આવ્યો છે. આ ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. આ ઝોનમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે રાંદેરમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.


Coronavirus: Surat માં વધુ 24 વિદ્યાર્થીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં, જાણો કઈ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ


Gujarat Corona Impact: કોરોના વકરતાં અમદાવાદ-સુરતમાં શું શું બંધ ?  જાણો એક ક્લિકમાં