વલસાડઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. ત્યારે વલસાડના જાણીતા ડોક્ટરનું કોરોનાથી નિધન થતાં તબીબી આલમમાં દુઃખની લાગણી ફરી વળી છે.


વલસાડના જાણીતા સિનિયર સ્કીન સ્પેશ્યલિસ્ટ ડો. ઝેડ, એમ. ખેરગામવાલાનું આજે કોરોનાથી નિધન થયું છે. સુરત ખાતે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. નોંધનીય છે કે, દેશમાં કોરોનાની સારવાર દરમ્યાન કુલ 196 ડોક્ટર શહિદ થયા છે. જેમાં ગુજરાતના કુલ 23 ડોક્ટર થયા શહિદ થયા છે. કોરોનાની સારવાર દરમ્યાન સંક્રમિત થતા નિધન થયું છે. ઇન્ડીન મેડિકલ એસોશિયેશને લિસ્ટ જાહેર કર્યું છે.