આ મામલે સ્કૂલના સત્તાધીશોએ મંજૂરી વિના જ પ્રવાસનુ આયોજન કર્યું હોવાનો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને રાજ્ય કે રાજ્યની બહાર સ્કૂલ પ્રવાસ પર જવાનું હોય તો તે અગાઉથી મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં દિવાન બલ્લુભાઈ સ્કૂલના સંચાલકોએ શિક્ષણ વિભાગને સ્કૂલ પ્રવાસ અંગે લેખિત જાણકારીના બદલે માત્ર મેઈલ જ કર્યો હતો ત્યારે હવે ડીઈઓ દિવાન બલ્લુભાઈ સ્કૂલના સત્તાધીશો સામે કાર્યવાહી કરશે.
આ દુર્ઘટનાની જાણ થતાં વડોદરામાં રહેતા જીમીલના કુંટુંબી અલ્પાબહેન રાઠોડ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અલ્પાબહેન રાઠોડે જણાવ્યું હતું કે, 'રિસોર્ટમાં રાઇડ્સમાં બેસતા લોકો માટે પુરતી સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે જીમીલનું મોત નીપજ્યું છે. રિસોર્ટના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે.