દાહોદઃ સંજેલીના ભાણપુર જંગલમાંથી યુવતીની સળગાવીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગોય હતો. હવે આ અંગે સંજેલી પોલીસ સ્ટેશને યુવતીના પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પિતાએ શંકાના આધારે વાંદરિયા ગામના મેહુલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતી બે દિવસ અગાઉ ટ્યુશન જવા માટે કહી ઘરેથી નીકળી હતી. જોકે,  હાલ હત્યાનું કારણ અકબંધ છે. યુવતીના ચહેરા સહિતના શરીરના ભાગે સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી હતી.


સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર યુવતીની લાશને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે યુવતીના પિતાની ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભાણપુર જંગલમાંથી જિન્સ ટીશર્ટ પહેરેલી 19 વર્ષીય યુવતીની છાતી સહિત ચહેરાના ભાગે સળગાવી દીધેલી લાશ મળી આવી હતી. 


યુવતી દાહોદ શહેરની રહેવાસી અને તેના પિતા કોર્ટમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે. યુવતીની હત્યા પછી લાશને સગેવગે કરવા અને પુરાવાનો નાશ કરવા કાવતરું ઘડીને લાશ સળગાવી દીધી હોવાની પોલીસને શંકા છે. ભાણપુર જંગલમાં યુવતીની લાશ પડી હોવાનું વન વિભાગે જાણ કરતા જ ઘટના સ્થળે પહોચી અને યુવતીની સળગાવેલી લાશ મળી આવી હતી. ઓળખ છુપાવવા માટે યુવતીની લાશ સળગાવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 


સુરત: ખટોદરા વેસુ વિસ્તારમાં કોલેજીયન યુવતીના શંકાસ્પદ મોતના મામલે  મૃતક યુવતીના પિતા સુશાંત શાહુએ CBI અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માંગ કરી છે. પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 24 કલાક થઈ ગયા હજી યુવક પકડાયો નથી, જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે મૃતદેહ નહિં સ્વીકારીએ તેવું પિતાએ જણાવ્યું. પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે. વિધર્મીની ધરપકડ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે. પિતા સુશાંત શાહુએ ગૃહમંત્રીને અપીલ કરી વિધર્મીની ધરપકડ કરો.


નોંધનીય છે કે, કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. અહીં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જોકે, સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હતો. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. 


આ ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને સારવાર માટે લવાયા હતા. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જાણ કરી હતી. તેમજ યુવતીની કોલેજ બેગ અને મોપેડ આપી હતી. 


પરિવારનો આક્ષેપ છે કે, કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં યુવતીને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બીજી તરફ કોફી શોપના સંચાલકે જણાવ્યું હતું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં તપાસ કરતાં બંને બેભાન હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.