વડોદરાઃ વાઘોડિયાના નાનકડા ટીંબી ગામમાં પ્રેમી યુગલે આપઘાત કરી લેતા આખા ગામમાં શોકની લાગણી ફરી વળી હતી. યુવકે પ્રેમિકાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર પૂર્યું હતું અને પછી કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં બન્નેની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે.


વિભા ઉર્ફે ગૌરી શામળભાઈ ગોહિલ (ઉં.વ. 19) અને જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ (ઉં.વ. 21) એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ પરિવાર અને સમાજ તેના સંબંધોને સ્વીકારશે નહીં એમ સમજી બંને ઘરેથી ભાગી ગયા હતા. બંને બાઇક પર નીકળી ગયા હતા. તેમજ પોતા સાથે  આધારકાર્ડ, નવાં કપડાં, મંગળસૂત્ર, સિંદુર લઈ ખંડીવાડા અને અડીરણ વચ્ચે મુખ્ય નર્મદા કેનાલ પાસે આવ્યા હતા. અહીં પ્રેમીએ સિંદૂરથી પ્રેમિકાનો સેંથો પૂર્યો હતો. ગળામાં મંગળસૂત્ર પહેરાવી લગ્ન કરી લીધા હતા. તેમજ એકબીજાના મોબાઈલમાં સેલ્ફી લીધી હતી. છેલ્લી ઘડીની સેલ્ફી લીધા બાદ આ બંને પ્રેમી-પંખીડાંએ ધસમસતા કેનાલમાં ઝંપલાવ્યું હતું. બંને પ્રેમી-પંખીડાંએ પોતાનો સામાન, મોબાઈલ, કપડાંની થેલી, પર્સ બધું જ કેનાલ પાસે પાર્ક કરેલી બાઈકની પાસે મૂક્યું હતું.

આ પણ વાંચોઃ પ્રેમિકાએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો, બંને કામલીલામાં વ્યસ્ત હતાં ને સાસરિયાંએ આવીને પ્રેમીનું માથું કાપી નાંખીને......


બીજી તરફ જયદીપના પરિવારે પોલીસમાં પુત્ર ગુમ થયા અંગે જાણકારી આપી હતી. ત્યારે અડીરણ કેનાલ પાસેથી મળી આવેલાં પર્સ, બંનેના મોબાઈલ, કપડાંની થેલી અને બાઈક પરથી પોલીસે આપઘાત કર્યાનું જણાતા પરિવારને જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડ દ્વારા નર્મદા કેનાલમાં બંને પ્રેમી-પંખીડાંની શોધખળ શરૂ કરાઇ હતી, પરંતુ હજી સુધી સફળતા મળી શકી નથી. 

આ પણ વાંચોઃ ગીર-સોમનાથના 4 માસના વિવાન માટે 16 કરોડ ભેગા થાય એ પહેલાં જ તોડ્યો દમ, જાણો કેટલી રકમ થઈ હતી એકત્રિત ?


નાનકડા ગામમાં બનેલ બનાવથી ગામ હીબકે ચઢ્યું છે. કેનાલમાંથી મૃતદેહ ન મળતાં પાણીના પ્રવાહને જોતા આ યુગલના મૃતદેહ પંચમહાલની હદમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, જયદીપના પરિવાર તેની સગાઈ વાઘોડિયાના અંબાલી ગામે કરી હતી, જ્યારે વિભા ઉર્ફે ગૌરીની સગાઈ શેરખી (સિંધરોટ) ગામે કરી હતી. જેથી લગ્ન કરી શકશે નહીં એમ જણાતાં આખરે અંતિમ પગલું ભરી લીધું  હતું.