લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ થવાને ભારતના સંસદીય પ્રવાસની સુવર્ણ ક્ષણ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (21 સપ્ટેમ્બર) કહ્યું હતું કે માતૃશક્તિનો આત્મવિશ્વાસ દેશને નવી દિશા આપશે. પીએમ મોદીએ આ બિલને નીચલા ગૃહમાં પાસ કરાવવામાં વ્યાપક સહકાર આપવા બદલ શાસક પક્ષ અને વિપક્ષના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. 20 સપ્ટેમ્બરના રોજ, નારી શક્તિ વંદન અધિનિમ બિલ, જે સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત માટે લાવવામાં આવ્યું હતું, તેને લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.


સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન મોદીને ગૃહને સંબોધવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ સમગ્ર ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે લોકસભામાં ભારતની સંસદીય યાત્રાની સુવર્ણ ક્ષણ હતી.


પીએમ મોદીએ કહ્યું, માતૃશક્તિમાં નવી ઉર્જાનો સંચાર થશે


વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કરતા  કહ્યું, 'આ ગૃહના તમામ સભ્યો આના હકદાર છે, તમામ પક્ષોના સભ્યો અને તમામ પક્ષોના નેતાઓ પણ આના હકદાર છે.' પીએમ મોદીએ કહ્યું કે નીચલા ગૃહમાં બિલ પાસ થવાથી દેશની માતૃશક્તિમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. તેમણે કહ્યું કે જ્યારે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પૂર્ણ થશે ત્યારે દેશની માતૃશક્તિનો વિશ્વાસ દેશને નવી દિશા આપશે. પીએમ મોદીએ કહ્યું, 'માતૃશક્તિને નવી ઉર્જા આપવા માટે તમે બધાએ આપેલા સહકાર માટે હું તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન આપી રહ્યો છું.'


અસદુદ્દીન ઓવૈસીએ સમર્થન આપ્યું ન હતું


લોકસભાએ બુધવારે લગભગ આઠ કલાકની ચર્ચા બાદ મહિલા આરક્ષણને લગતા બંધારણ (128મો સુધારો) બિલ, 2023ને 2 વિરુદ્ધ 454 મતથી મંજૂરી આપી હતી. નીચલા ગૃહમાં કોંગ્રેસ, એસપી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ બિલને સમર્થન આપ્યું હતું. જોકે, અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ બિલનો વિરોધ કર્યો હતો. AIMIMના લોકસભામાં ઓવૈસી સહિત બે સભ્યો છે.


આ પણ વાંચો 


Canada Visa Service Suspend: ભારત સરકારે લીધો મોટો નિર્ણય, કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ કરાઇ બંધ


વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, જૂનાગઢમાં ગરબાની પ્રક્ટિસ કરતાં કરતાં યુવાન ઢળી પડ્યો


Chandrayan 3: ચંદ્ર પર ફરી થઈ સવાર! શું વિક્રમ અને પ્રજ્ઞાન જાગશે? ઈસરોએ કરી ખાસ તૈયારી


Sukha Duneke: પંજાબના ગેંગસ્ટર સુખા દુનેકેની કેનેડામાં હત્યા, હુમલાખોરોએ 15 ગોળીઓ ચલાવી