નવી દિલ્લી:ઉરી હુમલા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પરસેવો વળી ગયો છે. ભારતીય સેના અને મોદી સરકારની વર્તુણુક જોઈ પાકિસ્તાનને ભય સતાવી રહ્યો છે. પાકિસ્તાન પર ભારત હુમલો કરે તેવા ભય હેઠળ છે પાકિસ્તાન.

ભારતથી ડરી ગયેલા પાકિસ્તાને POK માં તમામ પ્રાઈવેટ એયર લાઈન્સ સર્વિસ બંધ કરી દિધી છે. પાકિસ્તાન ઈંટરનેનલ એયર લાઈન્સે પાકિસ્તાનના કબજામાં રહેલા કશ્મીરના ગિલગિત-બલિસ્તાન અને ખેબર પખતુન્ખાના ચિત્રાલમાં ભયના કારણે એયર લાઈન્સ સેવાઓ બંધ કરી દિધી છે. હાલ આ હવાઈ સેવાઓ બંધ કરવાનું કોઈ કારણ નથી આપવામાં આવ્યું.