બેઈજિંગ: ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત છે. સીમા પર બન્ને દેશોએ મોટી સંખ્યામાં સૈના તૈનાત કરી દીધી છે. તેની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, ચીન દુનિયાનો સૌથી મોટો વિકાસશીલ દેશ છે. તે શાંતિપૂર્ણ, ઓપનનેસ અને સહયોગ માટે પ્રતિબદ્ધ છે. અમે ક્યારેય પણ નેતૃત્વ, વિસ્તારવાદ અથવા પ્રભાવિત કરવાની માંગ નહીં કરીએ.


ચીન હંમેશાથી વિસ્તારવાદની નીતિ પર કામ કરતું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લદ્દાખના પ્રવાસે ગયા હતા તે દરમિયાન તેઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીનને સંદેશ આપ્યો હતો કે, તેમણે વિસ્તારવાદની નીતિને છોડવું પડશે.

સંયુક્ત રાષ્ટ્રમાં શી જિનપિંગે કહ્યું કે, અમારી નિયત કોઈ પણ દેશ સાથે ના તો શીત યુદ્ધ કરવાની છે ના તો યુદ્ધ કરવાની. તેમણે કહ્યું કે, અમે મતભેદોને ઓછા કરવા અને વિવાદોને વાતચીત દ્વારા ઉકેલ લાવતા રહીશું.

ભારત અને ચીન વચ્ચે 14 કલાક ચાલેલી છઠ્ઠી સૈન્ય બેઠકમાં પૂર્વી લદ્દાખમાં ઉંચાઈ પર સ્થિત ઘર્ષણ બિંદુઓ પાસે તણાવ ઓછો કરવાના પગલા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ