Chinese Writer Praise PM Modi: ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં ફૂડન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર Zhang Jiadongએ લખ્યું હતું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે.


તેમણે કહ્યું હતું કે  "મેં તાજેતરમાં બે વખત ભારતની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન મેં જોયું કે ભારતની સ્થાનિક અને વિદેશી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે. ભારતની પાવર સ્ટ્રેટેજી તે સ્વપ્નમાંથી વાસ્તવિકતા તરફ આગળ વધી છે. જો કે , કેટલાક સંભવિત જોખમ અને સંકટો પણ ઉભરી આવ્યા છે.


'અર્થતંત્રે ગતિ પકડી'


"એક તરફ ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. બીજી તરફ તેની અર્થવ્યવસ્થાએ પણ વેગ પકડ્યો છે અને તે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક બનવાના માર્ગ પર છે," તેમણે કહ્યું હતું કે દરમિયાન, નવી દિલ્હીએ શહેરી શાસનમાં પણ પ્રગતિ કરી છે. જો કે, અહીં ધુમ્મસ હજુ પણ ગંભીર છે. પ્લેનમાંથી ઉતરતી વખતે જે ગંધ પહેલા અનુભવાતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. આ દર્શાવે છે કે નવી દિલ્હીમાં વાતાવરણમાં પણ સુધારો થયો છે.


ભારત તેની નિકાસ ક્ષમતા પર ભાર આપી રહ્યું છે


ફુડન યુનિવર્સિટીના ડાયરેક્ટરે વધુમાં લખ્યું હતું કે ભારતીય પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન ચીનના વિદ્વાનો પ્રત્યેનું તેમનું વલણ અમુક સમયે જિદ્દી બનવાને બદલે વધુ હળવું હતું. તેમણે કહ્યું કે અગાઉ ચીન અને ભારત વચ્ચેના વેપાર અસંતુલનની ચર્ચા કરતી વખતે ભારતીય વિદ્વાનો આ વેપાર અસંતુલનને ઘટાડવા માટે ચીનના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે ભારતીય વિદ્વાનો ચીનના પગલાના બદલે પોતાની નિકાસ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


રાજદ્વારી ક્ષેત્રે ભારતની શાનદાર વ્યૂહરચના


પ્રોફેસરે કહ્યું હતું કે આ સિવાય ઝડપી આર્થિક અને સામાજિક વિકાસની સાથે ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવતું બન્યું છે. રાજદ્વારી ક્ષેત્રમાં ભારત ઝડપથી શક્તિશાળી વ્યૂહરચના તરફ આગળ વધી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી તેમણે યુએસ, જાપાન, રશિયા અને અન્ય દેશો અને પ્રાદેશિક સંગઠનો સાથે ભારતના સંબંધોને વધારવા માટે મલ્ટી અલાયનમેન્ટ સ્ટ્રેટેજીની હિમાયત કરી છે.


'ભારત વિશ્વ નેતા બનવા માંગે છે'


તેઓએ પોતાના લેખમાં કહ્યું કે રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ભારત પશ્ચિમ સાથે તેની લોકતાંત્રિક સહમતિ પર ભાર મૂકીને આગળ વધ્યું છે. ભારત હવે રાજકીય અને સાંસ્કૃતિક રીતે વિશ્વ ગુરુ બનવા માંગે છે. ભારત હવે તેની સાંસ્કૃતિક પરંપરાને માત્ર તેના હિતોને હાંસલ કરવા અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રતીક તરીકે જ નહીં, પરંતુ તે તેને એક મહાન શક્તિ તરીકે પણ જુએ છે. તેમણે કહ્યું કે ભારતે હંમેશા પોતાની જાતને વિશ્વ શક્તિ ગણાવી છે.