ગુજરાતમાં જન્મેલા અને દુબઈમાં રહેતા ઉદ્યમી મોહમ્મદ રશિદ ખાનના મનમાં આવા કસોટીના સમયમાં બહાદુરી બતાવનાર આવા ફ્રંટલાઇન વોરિયર્સ પ્રત્યે અપાર સહાનુભૂતિ છે. એ કહે છે, “ખરા હીરો એ જ લોકો છે, જેમણે પોતાના જીવ કે પોતાના પરિવાર વિશે વિચાર્યા વિના આગળ ધપીને નિસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી છે. ગત કેટલાક મહિનાઓમાં જ્યારે આ મહામારીએ સંપૂર્ણ વિશ્વમાં ઉથલપાથલ મચાવી દીધી છે, ત્યારે આવા લોકોએ આપેલ સેવા અને સમર્પણ બદલ હું દિલથી તેમનો ઋણી છું.”
હેલ્થ કેર કાર્યકરો માટે અને ખાસ કરીને ડૉક્ટરો માટે આ સંકટ કાળ ખરેખર પડકારજનક હતો અને તેઓએ લોકોના જીવ બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો છે. આ બહાદુર ફ્રંટલાઇન વોરિયર્સ પ્રત્યે અને દેશવાસિઓ માટે તેમણે આપેલ બલિદાન પ્રત્યે આદરના પ્રતિકરૂપે મોહમ્મદ રશિદ ખાને દુબઈના પામ ડ્રૉપ ઝોનમાં સર્વોચ્ચ ઊંચાઈથી સ્કાઇડાઈવિંગ કરીને ભારતીય તિરંગો લહેરાવ્યો. તેમનું આ કૃત્ય પોતે જ પ્રશંસાને પાત્ર છે.
રશિદ કહે છે, “એવા તમામ લોકો પ્રત્યેનું પ્રેમ અને આદર વ્યક્ત કરવાની મને ઈચ્છા હતી,જેઓ હિમ્મત હાર્યા વિના લડ્યા અને પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું. આ સંકટ કાળમાં પોતાના દેશવાસીઓના કલ્યાણ માટે અથક પરિશ્રમ કરનાર આ યોદ્ધાઓ માટે ભારતીય તિરંગો લહેરાવવાથી વધુ સારી સલામી શું હોઈ શકે? આ કૃતિ વડે પોતાનું પ્રેમ અને આદર વ્યક્ત કરતાં હું અભિમાન અનુભવું છું. આ અસલ મહાનાયકોએ જે મહાન કાર્ય કર્યું છે, તેને બિરદાવવા માટે કોઈ પણ કૃતિ પર્યાપ્ત હશે નહીં.”