અફઘાનિસ્તાન કંધહારમાં એક મસ્જિદમાં શુક્રવારે વિસ્ફોટ થયો હતો. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટ Imam Bargah મસ્જિદમાં જૂમાની નમાજ દરમિયાન થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. વિસ્ફોટમાં 32 લોકોના મોત થયા છે અને 53 ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ શુક્રવારની નમાઝ દરમિયાન થયો હતો. અફઘાનિસ્તાનમાં સતત બીજા શુક્રવારે શિયા મસ્જિદને ટાર્ગેટ બનાવવામાં આવી છે.


સ્થાનિક મીડિયા અનુસાર, મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. કોઇ પણ સંગઠને હજુ સુધી વિસ્ફોટની જવાબદારી લીધી નથી. સ્થાનિક લોકોએ કહ્યું કે વિસ્ફોટ શિયા સમુદાયની એક મસ્જિદમાં થયો છે. વિસ્ફોટ જૂમાની નમાજ ચાલી રહી હતી તે દરમિયાન થયો હતો. આ અગાઉ આઠ ઓક્ટોબરના રોજ ઉત્તરી અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.



વિસ્ફોટ ત્યારે થયો જ્યારે શુક્રવારની નમાઝ ચાલી રહી હતી. આ પહેલા 8 ઓક્ટોબરે ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.


અફઘાનિસ્તાનના કુંદુજ શહેરમાં ગત શુક્રવારે શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેમાં 100 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, બ્લાસ્ટના સમયે મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. 


કુંદુઝમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો


8 ઓક્ટોબરે અફઘાનિસ્તાનના કુંદુઝમાં એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 50 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટ શુક્રવારની નમાઝ દરમિયાન પણ થયો હતો. માહિતી અને સંસ્કૃતિના નાયબ મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કુંદુઝના ખાનબાદ બંદર વિસ્તારમાં એક શિયા મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. આમાં આપણા દેશના ઘણા લોકો શહીદ થયા અને ઘણા ઘાયલ થયા.