ઋષિકેશ: યોગ ગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને શુક્રવારે રિષિકેશ સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પતંજલિ યોગપીઠના સૂત્રોએ જણાવ્યું કે આચાર્ય બાલકૃષ્ણને છાતીમાં દુખાવાની ફરિયાદના લીધે આચાર્યને પહેલા હરિદ્વાર સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોએ તેમને રિષિકેશની એઈમ્સમાં લઇ જવા માટે કહ્યું હતું.


એમ્સ ઋષિકેશના મેડિકલ સુપરિટેન્ડેન્ડ બ્રહ્મપ્રકાશે જણાવ્યું કે બાલકૃષ્ણને સાંજે લગભગ સવા ચાર વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે બાલકૃષ્ણને ‘આલ્ટર્ડ કાંશસનેસ’ની સ્થિતિમાં ભરતી કરાયા હતા. આ સ્થિતિમાં પેશન્ટ પોતાનાની આસપાસના માહોલને ઓળખી શકતું નથી.