Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે.  રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. કિવને કબજે કરવા રશિયાએ હુમલા તેજ કર્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અન્ય દેશોના આમ આદમી પણ સતત સોશિયલ મીડિયા પર રશિયાના હુમલાનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકામાં કેટલાક બાર અને શરાબની દુકાનોએ યુક્રેનના પર હુમલો કરવા માટે રશિયાના દંડિત કરવાની અનોખી રીત અપનાવી છે.


અમેરિકાના ગ્રાંડ રેપિસમાં કેટલાક પબ અને શરાબની દુકાનોએ રશિયાની વોડકાનો બોયકોટ અને યુક્રેનની બ્રાંડનો પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. ગ્રૈંડ રેપિડ્સ મિશિગનમાં બોબ્સ બારના માલિકે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું, કાલે સવારે મારી ઉંઘ ઉડી ત્યારે મેં જોયું કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યુ છે. અમે આ ખબર સાંભળીને દુખી અને ચિંતિત થઈ ગયા હતા પરંતુ શું કરવું તે સમજી શકતા નહોતા.


તેમણે આગળ કહ્યું કે, રશિયાની આ હરકતના કારણે વિશ્વના અનેક દેશો તેની વિરુદ્ધ થઈ ગયા છે અને પોતાની રીતે પ્રતિબંધો લગાવી રહ્યા છે. તેથી મેં પણ રશિયાનો વિરોધ કરવા અંગે વિચાર્યું. મેં સોવિયત બ્રાંડ સ્ટોલિચનયાને વેચવાનું બંધ કર્યુ અને યુક્રેનને ટક્કર આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે ઈલ વોડકા પર એક નિશાન છે, જેના પર યુક્રેનનું સમર્થન કરો તેમ લખ્યું છે.


યુક્રેનમાં ત્રિરંગો બન્યો ભારતીયોનો સુરક્ષા કવચ, ત્રિરંગો જોઈ રશિયન સેના કરે છે મદદ


યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે.  રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. કિવને કબજે કરવા રશિયાએ હુમલા તેજ કર્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. દરેક ભારતીયોને સુરક્ષિત વતન લાવવા મોદી સરકારના પ્રાથમિકતા છે.


આ દરમિયાન સૌથી મોટી વાત સામે આવી છે કે તિરંગા સાથે ભારતીયો વતન પરત ફરી રહ્યા છે. યુક્રેનમાં તિરંગો ભારતીયોનું સુરક્ષા કવચ બન્યું છે. બીજા દેશની સરહદ પર પહોંચી રહેલા વિદ્યાર્થીઓએ બસ અને અન્ય વાહનો પર તિરંગો લગાવ્યો છે. ઉપરાંત ભારત સરકારના આદેશની કોપી બસ અને ગાડી પર ચોંટાડી દીધી છે.  તિરંગાને જોઈ રશિયન સેનાના જવાનો પણ સમ્માન કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે તેમને નિર્ધારીત સ્થળ સુધી પહોંચાડી રહ્યા છે. રશિયન સેના ખુદ તિરંગો લગાવેલા વાહનોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી રહી છે. ભારત પહોંચેલા વિદ્યાર્થીના કહેવા મુજબ તિરંગો લગાવેલો ઝંડો જોઈ બસોને સન્માન અને રોક ટોક વગર જવા દેવામાં આવી રહી છે.


યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના પર રશિયન રાષ્ટ્રપતિએ આશ્વાસન આપ્યું હતું કે ભારતીયોની સુરક્ષાની પૂરતો પ્રબંધ કરીશું. પુતિને કહ્યું હતું કે, યુક્રેન છોડનારા ભારતીયોની બસ પર લગાવેલો તિરંગો જ તેમની સુરક્ષાની સૌથી મોટી ગેરંટી છે. પુતિને કહ્યું હતું કે જે ગાડી અને બસ પર તિરંગો લાગ્યો હશે તેમને રશિયન સેના સુરક્ષિત રીતે બોર્ડર પર પહોંચાડશે અને કોઈ રોકશે પણ નહીં.