Sri Lanka Crisis LIVE: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ, બે મંત્રીઓએ આપ્યું રાજીનામું

આર્થિક સંકટના કારણે પરેશાન શ્રીલંકાના લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી તોડફોડ કરી હતી

gujarati.abplive.com Last Updated: 10 Jul 2022 09:49 AM
પ્રદર્શનકારીઓએ શ્રીલંકન રાષ્ટ્રપતિના આવાસમાં તોડફોડ કરી

બ્રેકગ્રાઉન્ડ

કોલંબોઃ આર્થિક સંકટના કારણે શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રસ્તા પર ઉતરેલા લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓ અને શ્રીલંકન પોલીસ વચ્ચે હિંસક અથડામણમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.


શ્રીલંકામાં ભારે હોબાળો વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પણ રાજીનામું આપશે. મળતી માહિતી મુજબ, 13 જુલાઈએ રાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપશે. સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેએ કહ્યું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાણ કરી છે કે તેઓ 13 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.