PM Kisan Scheme: હજુ સુધી નથી મળ્યા પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા, જાણો ઓનલાઇન ક્યાં કરશો ફરિયાદ
PM Kisan Yojana: 15 નવેમ્બરના રોજ પીએમ મોદીએ દેશભરના 8 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 15મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. મોટાભાગના ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM Kisan Yojana, PM Kisan Yojana 15th Installment: 15 નવેમ્બર, 2023 ના રોજ, કેન્દ્ર સરકારે DBT દ્વારા 8 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 18,000 કરોડ ટ્રાન્સફર કર્યા છે.
જે ખેડૂતોને તેમના ખાતામાં રૂપિયા મળ્યા છે તેમને SMS દ્વારા આ માહિતી મળી હોવી જોઈએ. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમને હજુ સુધી 15મા હપ્તાના પૈસા મળ્યા નથી. જો તમે પણ તેમાંથી એક છો તો ચિંતા કરવાની જરૂર નથી.
અમે તમને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તેની માહિતી આપી રહ્યા છીએ. આ પછી પૈસા થોડા દિવસોમાં તમારા ખાતામાં આવી જશે.ખેડૂતો તેમની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. આ માટે તે pmkisan-ict@gov.in પર મેઈલ કરી શકે છે.
આ સિવાય ખેડૂતો હેલ્પલાઈન નંબર 155261 અને ટોલ ફ્રી નંબર 1800115526 અથવા 011-23381092 પર કોલ કરીને તેમના નાણાં હજુ સુધી કેમ નથી આવ્યા તેની માહિતી મેળવી શકે છે.
હપ્તાની સ્થિતિ જાણવા માટે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર ક્લિક કરો. લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરો અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. પછી તમને ખબર પડશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં.